________________
'
A
નવપદ આરાધના ... (દ્વિતીય દિવસ) જી હાં!
તમને કો'કની નજર સતત જુએ છે! જાણો છો એ કોણ જુએ છે?અનંતસિદ્ધપરમાત્માઓ તમને પ્રતિપળ/પ્રતિક્ષણ નિહાળે છે..એમની કરુણાનીતરતીમહેરનજરઅવિરતવરસ્યા કરે છે આ સૃષ્ટિ પર!
તમે નહીં જાણતા હો, જ્યારે એક આત્મા સિદ્ધ બને છે ત્યારે જ એક આત્મા “અવ્યવહાર રાશિ'ની નિગોદમાંથી બહાર નીકળીને “વ્યવહાર રાશિમાં પ્રવેશે છે ! અને પછી એની ક્રમિક વિકાસ - યાત્રા પ્રારંભાય છે. આપણા આત્મા પર પણ કો'ક સિદ્ધ આત્માનો આ મહાન ઉપકાર છે. કોણ આત્મા? આપણે નથી જાણતા! આ ઉપકારનો બદલો આપણે કેવી રીતે વાળીએ?
આજનો દિવસ છે સિદ્ધપદની આરાધના કરવા માટેનો ! લાલરંગમાં સિદ્ધપદનું ધ્યાન ધરવાથી આપણા તરફ સિદ્ધ ભગવંતનું આકર્ષણ થાય છે... લાલ રંગ છે જ આકર્ષણ માટે!
લાલરંગની માળા ..લાલરંગનું આસન...આ બધું સહાયક બને છે જાપમાં ધ્યાનમાં!
સિદ્ધ પરમાત્માની આરાધના કરીને, આત્માને શુદ્ધ,બુદ્ધ કરીને સિદ્ધત્વ તરફ ગતિશીલ બનાવીએ.
વિચારપંખી - ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only