________________
નવપદ આરાધના ... (પ્રથમ દિવસ )
અરિહંત!
વિશ્વનું સર્વશ્રેષ્ઠ તત્વ છે અરિહંત ! અરિહંત પરમાત્માની અચિંત્ય કૃપાથીજ આપણને ધર્મતીર્થની ધર્મશાસનની પ્રાપ્તિ થઈ છે.
સમગ્ર સૃષ્ટિ માટે વંદનીય .....પૂજનીય એવા અરિહંત ૫૨માત્માનું ધ્યાન ક૨વા માટે નવ દિવસીય આરાધના “સત્રનો પ્રારંભ થાય છે આજથી ! આ નવ દિવસોમાં આકાશમાં સૂર્ય - ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, વગેરેના તેજમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. વાતાવરણ બદલાય છે. માટેતોઆ નવદિવસો સાધના માટે શ્રેષ્ઠ મનાયા છે ! સિદ્ધચક્રની સાધના એટલે સૃષ્ટિના શ્રેષ્ઠ યંત્રની ઉપાસના !
જેના કેન્દ્રમાં અરિહંત છે .
કોઈ પણ આત્મા જ્યારે રાગદ્વેષના બંધનોથી સંપૂર્ણપણે મુક્ત બને છે અને તીર્થંકર બને છે, ત્યારે એ જગત આખા માટે પૂજનીય બની જાય છે! અર્હત્ એટલે પૂજાકરવામાટે ઉપયુક્ત!આરાધના/સાધના/ઉપાસના કરવા માટે બધીજ રીતે યોગ્ય તત્ત્વ છે અરિહંત !
વિચારપંખી - ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrat.org