________________
Jain Educator afernational
પર્યુષણ મહાપર્વ ...(સાતમો દિવસ )
ઉગતા સૂરજની સાખે લહેરાતી., પ્રસન્નતાના ફૂલો વિખેરતી સોહામણી પળો પર્યુષણનો સાતમો દિવસ લઈ આવી છે .
સંસ્કૃતિના આદ્ય પુરસ્કર્તા પરમાત્મા આદિનાથ તથા કાશીના કોડામણા રાજકુમાર પાર્શ્વનાથના જીવનની ઘણી ઘણી વાતો આજે સાંભળવાનો દિવસ છે. તેમ ઇતિહાસના પાનાંઓ ૫૨ સોનેરી અક્ષર કંડારાયેલી પ્રેમની સર્વોચ્ચ કહાણી પણ આજે સાભળજો નેમ અને રાજુલ ! આઠ....આઠ ભવની પ્રીતના જેણે ચોક પૂરાવ્યા છે એવી રાજાલને તરછોડીને ગિરનારની વાટે ચાલ્યા જતા નૈમ ! યુગયુગની પીછાણ જાણે કે પળભરમાં કાઇ કોઇને જાણતું નથી એ હકીકતની પથ્થરદિવાલ બની જાય છે .
નેમ વિના નહીં. ભાં નાથ અનેરો’ની ધૂણી ધખાવી બેઠેલી રાજુલ પ્રિયતમને પામવા, સદા માટે એનામાં લીન બની જવા સંયમના કાંટાળા રાહે કમળ – કોમળ કદમોંમાંડે છે. દેહ -પ્રેમને સ્વાર્થ સંબંધોની ભૂલ ભૂલામણીમાં ભૂલા પડેલા આપણે જરા એક નજર આ પ્રેમના પ્રતીકો તરફ નાંખીએ કે જેથી આપણાં અણુએ અણુએ દિવ્યપ્રેમનીસરવાણી વહે. જેમાં પરમશાંતિના નીર લહેરાતા હોય !
વિચારપંખી - ૧૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org