________________
પર્યુષણ મહાપર્વ...(છઠ્ઠો દિવસ)
પરમાત્મા મહાવીર દેવના રોમાંચક જીવન પ્રસંગોની પાવન પ્રેરણાના અમીઘૂંટ પાતી આજની અલબેલી ઉષા પર્યુષણનો છઠ્ઠો દિવસ લઈ આવી છે. વર્ધમાન રમે છે મિત્રોની મહેફિલમાં પણ એના અંતરના આંગણે તો ઉદાસિનતા જ રમે છે. માની ઈચ્છા સંતોષવા યશોદા સાથે લગ્નજીવન પણ જીવે છે, છતાંયે એનો આત્મા અળગો છે આ બધાં બંધનોથી! સર્વ ત્યાગની કેડીએ ચાલ્યા જતા. વર્ધમાનને વિદાય આપતી યશોદાની જરા કલ્પના તો કરો, પોતાના પતિને ત્રિભુવન પતિ બનાવવાના કોડ ખાતર એ નમણી નારીએ પોતાના સુખની જરાયે પરવાનકરી. એણે હસતા મોઢે વિદાય આમી પોતાનાં કંતને મહાન સંત થવા માટે ! અરે એટલું જ નહીં, પ્રાણપ્યારી પુત્રી પ્રિયદર્શનાને પણ ત્યાગના પંથેવાળી. મહાવીરની મહાન ઈમારતમાં આ યશોદાએ પોતાના ધબકતા પ્રાણોની કૈક કૈક ઈટો મૂકી હશે. એ મહાન નારીએ પોતાના સર્વસ્વને દૂર દૂર જતા જોઈ બોર બોર જેટલા આંસુ પાડયા હશે! છતાં પણ કોઈ ફરિયાદવિના પોતાના જીવન ધનને જગતધન બનાવનાર એ યશોદાને ઓળખ્યા વિના મહાવીરની ઓળખાણ અધૂરી રહેશે.
વિચારપંખી – ૯૯
Jain Education International
For Private & Personal Use Only