________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ
ગાંધીજીની આફ્રિકાની પ્રવૃત્તિથી પંડિતજી સારી રીતે વાકેફ હતા. આફ્રિકાથી ગાંધીજી અમદાવાદમાં આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું તેના મેળાવડામાં પંડિતજી ગયા હતા. ગાંધીજીએ આશ્રમ સ્થાપ્ટેા ત્યારે પંડિતજીએ ત્યાં જવા-આવવાનું શરૂ કર્યું. અને સાંજની પ્રાથૅના પછી ગાંધીજી ફરવા જતા ત્યારે તેમની સાથે તેએ ચાલતાં ચાલતાં ચર્ચા પણ કરતા. પછી તે ગાંધીજીના આશ્રમમાં રહેવા ગયા. આવી કર્મભૂમિમાં અંધત્વને કારણે માત્ર વિદ્યાસાધના કરવી તે તેમને અસહ્ય લાગ્યું. પહેલા જ દિવસે દળવાનું કામ માગ્યું. તેમણે કદી દળ્યું ન હતું એટલે ગાંધીજીએ નક્કી કર્યું કે એમને પેાતાની સાથે ઘંટી પર બેસાડવા.
૧૯
દાયકાઓ પછી ગાંધીજીની ઝીણાસાહેબ સાથેની મંત્રણાઓ વખતે જ્યારે ગાંધીજીના નિમંત્રણથી પંડિતજી તેમને મળવા ગયા ત્યારે આ બે મહામાનવે। વચ્ચે જે વાર્તાલાપ થયે તે વિશે વિગતે લખવાનું અહીં શકય નથી. પણ મને ખરાખર યાદ છે કે ગાંધીજીએ આ મુલાકાતમાં સુખલાલજીની ઘંટી દળવાની આવડતની મજાક કરેલી :
“સુખલાલભાઈ, તમે તે એ વખતે પાચા હતા. દળતાં દળતાં તમારા હાથમાં ફાડલા પડી ગયા ! તમે વિદ્વાન માટા, પણ દળવાનું તે મેં તમને શિખવાડ્યુ .”
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org