________________
પંડિત સુખલાલજી
પરસ્પરને ભણાવે. સદ્દભાગ્યે થાડા સમય ખાદ્ય ક્વિન્સ કૉલેજના મુખ્ય પંડિત ખાલખેાધ મિશ્રનેા તેમને પરિચય થયા. તેમણે પંડિતજીને વેદાંત, સાંખ્યયેાગ, વ્યાકરણ અને ન્યાય જેવા વિષયે ઘેર આવી ભણાવવાની હા પાડી. આમ પંડિતજી ભારતીય દર્શનાના ગ્રંથા ભણ્યા અને ભણતાં ભણતાં પાયાનું દાર્શનિક ચિંતન કર્યું. પંડિતજીએ જે મુશ્કેલીથી ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસ કર્યાં તેની અસર તેમના ચિંતનમાં એ રીતે પડી કે તેમણે આ બધાં દર્શનાનું માનવતાવાદી સમીકરણ કર્યું.
૧૩
આ દિવસેામાં આ બધા કઠણુ અભ્યાસ કરતાં કરતાં થોડા આનંદ માણી લેવાની પંતિજની એક અનોખી રીત હતી. તે નોંધે છે:
વ્યાકરણના વાડા બહાર સંચરવાની મુક્તતાએ કાવ્ય તરફ પણ પ્રેર્યાં હતા. રઘુવંશ, કિરાત, માઘ અને નૈષધ એ મહાકાવ્યાના આસ્વાદ વ્યાકરણ તેમ જ ન્યાયના થાકને હળવા મનાવતા.”
પ્રથમ વર્ગમાં
આ બધા અભ્યાસ કર્યાં પછી પંડિતજીને એવા વિચાર આવ્યા કે ક્વિન્સ કૉલેજની સંપૂર્ણ ન્યાયમધ્યમા પરીક્ષા આપવી. બન્યું એવું કે એ પાઠ્યક્રમ જાણતા જ હતા. પણ તેમણે આખા પાચક્રમ ફરી સાંભળી જવાનું નક્કી કર્યું. પંડિતજી પરીક્ષા આપવા બેઠા. તે લખાવે, પણ સાવ અભણ એવા લેખક એમના માટે રાખવામાં આવ્યે. લેખકનું લખાણ અને જોડાક્ષર અશુદ્ધ. એક સુપરવાઇઝર આ જુએ. તેમણે પંડિતજીને કહ્યું કે
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org