SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પછી દર સો વર્ષે ૧-૧ વાળનો ટુકડો (વાળ નહીં) કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય, ત્યારે શાસ્ત્રીય પરિભાષામાં એક પલ્યોમય કહેવાય. આવા દશ કોડાકોડી (૧૦૦૦૦૦૦૦૦, ૦૦૦૦૦૦૦૦) પલ્યોપમે (એકડા ઉપર ૧૬ મીંડા ચઢે તેટલા કૂવા ખાલી થાય ત્યારે) ૧ સાગરોપમ થાય” આવા ૭ સાગરોપમ સુધી ભોગવી શકાય તેટલાં પાપોનો નાશ શ્રી નવકાર મહામંત્રના ૧ અક્ષરથી થાય છે. તેમજ પ૦ સાગરોપમ સુધી ભોગવી શકાય તેટલા પાપનો ક્ષય ૧ પદથી થાય. કેમકે પ્રથમ પદમાં અક્ષર છે, ૧અક્ષરથી સાગરોપમના પાપનો ક્ષય, તેથી ૭ X ૭ = ૪૯ સાગરોપમ અને આખા પદના સમુચ્ચયનો ૧ સાગરોપમ = ૪૯ + ૧ એમ-૫૦ સાગરોપમના પાપનો ક્ષય એક પદના જાપથી થાય છે. આ પ્રમાણે શ્રી નવકાર મહામંત્રના બધા ૬૮ અક્ષરો છે. એક અક્ષરના જાપથી ૭ સાગરોપમના પાપનો ક્ષય એટલે ૬૮૮૭=૪૭૬ સાગરોપમના પાપનો ક્ષય નવકારના ૬૮ અક્ષરના જાપથી થાય. વળી શ્રી નવકાર મહામંત્રના, ૯ પદોના ૯ સાગરોપમ ૮ સંપદાના ૮ સાગરોપમ, ૭ ગુરૂ અક્ષરના ૭ સાગરોપમ, ૨૪ કુલ. આ રીતે..... શ્રી નવકાર મહામંત્રના દરેક વર્ણથી થતા ૭ સાગરોપમના પાપના ક્ષયની સંખ્યા (૪૭૬ સાગરોપમ) માં શ્રી નવકાર મહામંત્રના પદ (૯) સંપદા (૮) ગુરુઅક્ષર (૭) થી ક્ષય થતા સાગરોપમના પાપની સંખ્યા = ૨૪ ને ઉમેરતાં (૪૭૬+૨૪)=૫OO થાય [૫૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy