SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ-શક્તિમાન જાણજો, મહામંત્ર નવકાર, આતમને જાગ્રત કરી, મિથ્યા તમ હરનાર. ઉચ્ચારણ નવકારનું, જે ઘર નિશદિન હોય, ત્રિવિધ તાપ તેના ટળે, સુખ સંપત્તિ નિત હોય. ઉચ્ચારણ નવકારનું, જો અંતરથી હોય, ભવચક્ર તેનું ટળે, જન્મ મરણ નવ જોય. * ભૂતપ્રેત પીશાચની, બલા થાયે સૌ દૂર, ફરી ન પીડે કોઈ દી, જો રહો નવકાર હાર. ★ ન કુપથ્યના સેવન થકી, આવે રોગ અપાર, તેનું પથ્ય જાણજો, મહામંત્ર નવકાર. ઉગે સૂરજ સુખનો, રહે ન દીનને હીણ, જો જપે નવકા૨ને, તો દુઃખના જાયે દીન. *જેનુ ચિત ચૌટે રમે, વાંકો ગમે નહીં ઘરબાર, તે પણ જપે નવકારને, તો ચીતડું આવે દ્વાર. રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ, ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્લ. જિનશાસનનો સાર જે, ચૌદ પૂર્વનો પણ સાર, શ્રી નવકાર હિયે વસે, તેને શું કરે સંસાર ? * સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિવસને રાત, જીવતાં સમરો મરતાં સમરો, સમરો સહુ સંઘાત. [૧૪૦] .....(૮૪) .....(૮૮) ....(૮૯) ....(૯૦) .....(eq) ....(૯૨) તેજ એ સાર નવકારમંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર, કર્મ પ્રતિકૂળ બાઉલ સેવે, તેહ સુરતરૂ ત્યજી આપ દેવે......(૯૩) ....(૯૪) Jain Education International .....(૮૫) .....(૮૬) ચૌદ પૂરવનો સાર જાણ, મહામંત્ર શ્રીનવકાર, મૌની વ્રત આરાધતાં, સુખ તરીયે સંસાર. સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર, એના મહિમાંનો નહીં પાર, એનો અર્થ અનંત ઉદાર......(૯૫) For Private & Personal Use Only .....(૮૭) .(૯૬) www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy