SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સોપાન બીજું બેસવાનું આસન ઉનનું સફેદ રંગનું રાખવું. પદ્માસન આદિ આસનોમાંથી નક્કી કરેલ અનુકૂળ આસને બેસવું. આરાધના વખતે જે જગ્યાએ બેસવાનું નક્કી કર્યું હોય તે જ ચોક્કસ જગ્યાએ દરરોજ બેસવાનું રાખવું કદાચ બહાર જવું પડે તો પણ આસન સાથે લઈ જવું. • દિશા પૂર્વ અગર ઉત્તર તરફ બેસવું, પણ જિનમંદિરમાં પ્રભુ સન્મુખ બેસવું. માળા ગુરૂ પાસે પ્રતિષ્ઠિત કરાવવી. માળા સ્ફટીકની અગર સુતરની રાખવી. તે માળાથી ફકત નમસ્કાર મહામંત્રનો જ જાપ કરવો. જાપ માટે ઓછામાં ઓછી જે સંખ્યા નક્કી કરી હોય તે જાળવી રાખવી. તે સંખ્યાના જાપમાં એક પણ દિવસ ખાલી ન જવો જોઈએ. * ધૂપ (ગાયના ઘીનો) દીપ ઉચિત સ્થાન વિગેરે સાચવવું. • આરાધના માટે ચોક્કસ સમય નક્કી કરવો. શકય હોય ત્યાં સુધી તેજ સમયે આરાધના કરવી. આરાધના માટે ત્રણ સંધ્યા અને બ્રાહ્મમુહૂર્ત શ્રેષ્ઠ સમય છે. સોપાન ત્રીજું * કાળા ઉપર સફેદ અક્ષરો હોય તેવું છાપેલું કાર્ડ સામે રાખી વાંચવું એક વખત ૬૮ અક્ષરો વંચાય ત્યારે એક જાપ થશે. આ મંત્ર બાલ્યાવસ્થામાં સામાન્ય રીતે પ્રાપ્ત થયેલો હોવાથી સાહજિક ઝડપને રોકી કાર્ડમાંના અક્ષરો વાંચતી વખતે જે અક્ષર વંચાતો હોય તે અક્ષર ઉપર જદ્રષ્ટિનો ઉપયોગ પણ રાખવો, કારણ કે.... અતિ પરિચિત હોવાથી દ્રષ્ટિનો ઉપયોગ માં વાંચતી વખતે રિઉપર અને તા વાંચતી વખત જે ઉપર જશે. એ રીતે ઉપયોગ આગળ-પાછળ અને જપનું ઉચ્ચારણ આગળ પાછળ થઈ જાય છે. આવી આવી ગરબડ ન થાય માટે નાનું બાળક વાંચતું | ૮ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy