SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સોપાન પહેલું દરરોજ આરાધના શરૂ કરતાં પહેલાં મન, વચન, કાયાની શુદ્ધિ માટે નીચેની બાબતો આરાધકે ધ્યાનમાં રાખવી. • શ્રી નવકાર મંત્રના મહિમા વિષેના સ્તોત્રો, શ્લોકો વિગેરેમાંથી થોડાક પસંદગીના શ્લોકો યાદ કરી તેનો મહિમા ગાવો. “ ચત્તારિ મંગલં ’” અને મૈત્રી આદિ ચાર ભાવનાથી વાસિત થવું. • મૈત્રી આદિ ચાર ભાવનાઓને ધર્મધ્યાનની તૈયારી માટે યોજવાનું જ્ઞાની પુરૂષો બતાવે છે. સામાન્ય રીતે મનમાં અનેક સંકલ્પ-વિકલ્પ ચાલતા હોય છે. અનાદિકાળથી જીવને મોહજન્ય સુખ દુઃખની વિચારણા હોય છે. તે મોહજન્યભાવ પલટાઈ મૈત્રી આદિ ભાવનાથી પરમાર્થ વિષયક બનાવાથી મનનાં સકંલ્પ-વિકલ્પ મંદ પડી જાય છે. આથી મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ ભાવવી. શ્રી તવકાર મહામંત્ર આરાધવાની ક્રમિક આદર્શ પ્રક્રિયા વળી યોગશાસ્ત્ર (પ્રકાશ સાતમા) માં ધ્યાન કરવા માટે ધ્યાતાના લક્ષણો બતાવ્યા છે. તેમાં 46 परम्प्यात्मवत् पश्यन् ” “ सर्वत्र समतां श्रयन् । " - નરેન્દ્ર વા રિકે વા, તુલ્ય - ત્યાળ - ગમન : અમાત્ર - હા -પાત્રં ” “ભવ – સૌદ્ર - પરામુએ: (અર્થ ઃ- બીજા જીવોને પોતાના આત્માની જેમ જોનાર, ♦ સર્વસ્થાને સમતાને ધારણ કરનાર ♦ રાજા અને દરિદ્ર બંન્નેના કલ્યાણને સમાન રીતે ઈચ્છનાર સર્વ જીવો ઉ૫૨ કરૂણાવાળો • ભવ સંસાર સુખોથી વિરક્ત) ઈત્યાદિ લક્ષ્ણો પ્રાપ્ત ક૨વા માટે મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાથી આત્માને ભાવિત કરવો તે ઘણું જરૂરી છે. = 66 66 Jain Education International " શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતનો તથા શાસનપતિ શ્રી વર્ધમાન સ્વામી પ્રભુનો થોડો જાપ કરવો અને પછી આરાધના શરૂ કરવી [ ૮૫ ] For Private & Personal Use Only 11 www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy