SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ વ્યાપારઇ થિકઉ જે દયાવંત હંતઉ સંવિગ્ન પાક્ષિકપણઉં કરઈ, તે આરાધક થાઈ જિમ કો એક રોગી ઘણઉં કાલ અપથ્ય સેવતઉ સુવૈદ્યનઈ સંયોગિઈ પથ્યના ગુણ જાણી અપથ્ય છાંડવા વાંછતઉઇ, ઘાઇસિલું સઘલઉંઈ છાંડી ન સકાં, મઉડઈ મડઈ છાંડઇ, તિમ જીણૐ ઘણી કાલ પહિલઉં પાસત્કાદિપણ૯ સેવિઉં, પછઈ સાધુનઇં સંયોગિઈ વૈરાગ્ય પામીઇનિઇ ઘાઈસિ પાસત્કાદિકપણઉં છાંડી ન સકઇ, અનઈ સંયમનઈ વિષઈ ગાઢઉ અનુરાગ વહઈ, તેહઠુઈ પરમેશ્વરિ સંવિગ્ન પાક્ષિકપણઉં મોક્ષનઉ ઉપાય કહિઉ, ઇસિઉ ભાવ. પ૨૮. ઇસ્યા અનેક ઉપદેશ સુપાત્રદ જિઈ દેવાયોગ્ય હુઈ, અયોગ્ય કુપાત્રનઈ કાંઈ કાજિ ન આવઇ, એ વાત કહઈ છઈ. | કિર્તવશ, સંયમધર્મની પ્રવૃત્તિ સર્વથા મૂકી દેનારા સાધુવર્ગના મનમાં થોડીક પણ જીવદયા હોય જ છે એ કારણે પરમેશ્વરે સંવિગ્ન પાક્ષિકનો – મોક્ષાભિલાષી સુસાધુનો માર્ગ જોયો અને કહ્યો. એટલે સંયમવ્યાપાર મૂકી દીધા છતાં જે દયાવંત હોય તે સંવિગ્ન પાક્ષિકપણું કરે તે આરાધક થાય. જેમ કોઈ રોગી ઘણો કાળ અપથ્ય સેવતો સારા વૈદ્યના સંયોગે પથ્યના ગુણ જાણી અપથ્ય છોડવાની ઈચ્છા કરે, પણ એકદમ જ સઘળું છોડી ન શકે, મોડુંમોડું છોડે, તેમ જેણે ઘણો કાળ પાસFાપણું સેવ્યું છે પછી સાધુને સંયોગે વૈરાગ્ય પામીને એકદમ જ પાસસ્થાપણું છોડી ન શકે પણ સંયમને વિશે ગાઢો અનુરાગ ધરે તેને પરમેશ્વરે સંવિગ્ન પાક્ષિકપણું – મોક્ષનો ઉપાય કહ્યો છે. સુપાત્રને જ આવો ઉપદેશ દેવાય. કુપાત્રને કાંઈ કામ ન આવે. કિં મૂસગાણ અન્વેષણ, કિં વા કાગાણ કણગમાલાએ, મોહમલખવલિયાણે કિં કજુએસમાલાએ. પ૨૯ કિં મૂસા મૂષક ઉદિરનાં દીનાર સોનઈઆદિક અર્થિઈ કિસિ૬, જિમ તેહનઈ તે કાંઈ કાજિ ન આવઈ, કિં વાઅથવા જિમ કાગનઈ સોનાની અથવા રત્નની માલાઈ કિસિ૬ કાજ કાંઈ કાજ નહીં મોહમલ તિમ મિથ્યાત્વાદિક કર્મમલિઇ કરી અવલિયાણે જે ગાઢા ખરડિયા છઈ તેહ બહુકમાં જીવનઈ ઈણિૐ ઉપદેશમાલાઈ કિસિ૬ કાજ કાંઈ કાજ નહીં, એહ થિક તેહÇઈ કાંઈ ઉપકાર ન હુઈ ઇસિઉ ભાવ. પ૨૯. તથા. [ઉંદરને સોમૈયા કે દીનારનો શો અર્થ ? કાગડાને સોનાની કે રત્નની માલા કાંઈ કામની નહીં તેમ મિથ્યાવી – કર્મમલે કરીને ખૂબ ખરડાયેલા બહુકમ જીવ – ને આ ઉપદેશ ઉપકારક ન બને.] ૧ ક મૂસણ ૨ ક ઈણઈ (ઈણિ ઉપદેશમાલાઇને બદલે) શ્રી સોમસુંદરસૂરિત ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy