SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-શ્લોકો છે તે કથા-અંતર્ગત રાજાને સંબોધીને કહેતા પોપટની ઉક્તિ રૂપે આવે છે, અને તે અર્થાન્તરન્યાસનું એક સુંદર ઉદાહરણ બને છે. વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ-૨: ‘ઉપદેશમાલા બાલાવબોધ’ અંતર્ગત સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો) ઉપદેશમાલા બાલાવબોધ'નું ગદ્ય ‘ઉપદેશમાલા બાલાવબોધ ના ગદ્યમાં તત્કાલીન ભાષાસ્વરૂપનો, બોલચાલની લઢણોનો, એ સમયે પ્રયોજાતા રૂઢિપ્રયોગોનો, ભાષા અંતર્ગત શબ્દભંડોળનો અને એની આગવી અર્થચ્છાયાનો પરિચય મળી રહે છે. બાલાવબોધકાર ઉપદેશમાલા'ની પ્રત્યેક મૂળ ગાથાનો ક્રમશઃ આંશિક નિર્દેશ કરતા જઈ, બહુધા એના શબ્દપર્યાયો આપતા જઈ ગાથાના કથ્ય વિષયને તત્કાલીન ગુજરાતી ભાષામાં અનુવાદના સ્વરૂપે મૂકી આપે છે. પણ એ કેવળ અનુવાદ રહેતો નથી. ભાવકને કથ્ય વિષયનો વિશદપણે અવબોધ થાય તે માટે બાલાવબોધકાર ખપ જોગો વિસ્તાર કરીને વિષયને સમજાવે છે. આ વિસ્તૃતીકરણમાં લેખકે ભારે સંયમ-વિવેક જાળવ્યાં છે. બાલાવબોધ એ લાંબુંચોડું વિવરણ ન બની જાય કે વિષયનો અતિવિસ્તાર કે બિનજરૂરી વિસ્તાર ન થઈ જાય એની એમણે એકંદરે કાળજી લીધાની છાપ પડે છે. કથ્ય મુદ્દાને ચાતરીને કોઈ વિષયાંતરમાં સરી પડ્યાનું પણ ક્યાંય જણાતું નથી. બાલાવબોધકારોની કદાચ આ સહજસ્વીકૃત લેખનશિસ્ત પણ હોય. આગળ જોયું તેમ કવિએ નાનીમોટી દઝંતકથાઓને અહીં પ્રયોજી છે જે કથારસને પોષવા સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક વાચકના ગળે ઉતારવામાં સહાયક બને છે. દર્દરાંક દેવની કથા કે કાલસુરિયા ખાટકીના પુત્ર સુલસની દઝંતકથામાં તો સરસ મઝાની સંવાદકળાના અંશો પણ જોવા મળે. તો માસાહસ પક્ષીની કથામાં માર્મિક વિનોદની લકીર ખેંચાયેલી જોઈ શકાય છે. અહીં અલગ રીતે મુકાયેલી દષ્ટાંતકથાઓ તો રસપોષક બને જ છે, પણ ગ્રંથકાર ધર્મદાસગણિએ વિષયની પુષ્ટિ માટે કે વિષયને ચોટદાર બનાવવા માટે મૂળ ગાથામાં નિર્દેશેલાં દખ્રતો અને પ્રયોજેલા ઉપમારૂપાકાદિ અલંકારોનું બાલાવબોધકારે જે રીતે ગદ્યમાં રૂપાંતરણ- વિસ્તરણ કર્યું છે એ માટે તે પણ જશના અધિકારી અચૂક બને છે. આરંભની ગાથામાં જ આદિનાથ પ્રભુને માટે મુકુટ અને સૂર્યની ઉપમાઓ અને મહાવીરસ્વામીને માટે ત્રિભુવનના તિલક અને ચક્ષુની ઉપમાઓ નોંધપાત્ર બની છે. (ગાથા ૨) રર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy