SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પરીક્ષા દેખાડવાનě કારણિ', માત્રા લેવાની ભૂમિકાં, લીહાલાં લંખાવિયા, મહાત્મા માત્રઉં લેવા ઊઠિયા જેતીવારઇ લીહાલા ચંપાઇ, તેતીવાŪ પશ્ચાત્તાપ સહિત મિચ્છામિ દુક્કડ દિઇં, તિસિઇ, રુદ્રદેવ આચાર્ય ઊઠિઉ માત્રાંનઇ કારણ લીહાલા ચંપાણા કસકસાટ કરÛ, ઘાઇસિઉં કહિઉં અરિહંતના જીવડા મરતેં છઇં. તે વાત સાંભલીનઇ મહાત્માએ ગુરુદેં અભવ્ય જાણિઉ, શ્રી વિજયસેનસૂરિએ તે બાહિર કાઢઉ, પાંચઇસ શિષ્ય તપ કરી દેવલોકિ પહુતા, તિહાં તઉ આવી બસંતપુર દિલીપરાયનાં પાંચસÙ બેટા હૂઆ, એક વાર રાજપુર નગરિક, કનકધ્વજ રાયની બેટીનઇ સ્વયંવરામંડપિ ગયા, તિહાં તે અંગારમર્દકાચાર્યનઉં જીવ ઊંટ થિઉં, ભાર વહતઉ, વાāતઉ દીઠઉ, કરુણા લગઇ પાંચસð રાયના બેટાઙૂઇ જાતિસ્મરણ ઊપનઉં, પાછિલા ભવનઉ અભવ્ય ગુરુ' જાણી મૂંકાવિઉ, તીણઇ વૈરાગ્યð પાંચસઇ દીક્ષા લીધી, થોડઇં કાલિ મોક્ષિ જાસિŪ, એહ જિ વાત કહઇ છઇ. ૧૬૮. [કોલસાને જીવ માની હિંસા કરનાર કુગુરુ સુશિષ્યોથી વીંટળાયેલા હતા તે મુનિઓએ સ્વપ્નમાં ડુક્કરને હાથીનાં બચ્ચાંથી પરિવરેલ રૂપે જોયા. કથા : શ્રી વિજયસેનસૂરિના શિષ્યે સ્વપ્નમાં ડુક્કરને પાંચસો હાથીનાં બચ્ચાંથી વીંટળાયેલો જોયો. સવારે સ્વપ્નની વાત ગુરુને કરતાં ગુરુએ કહ્યું, ‘આજે કોઈ એક અભવ્ય ગુરુ શિષ્યથી વીંટળાયેલા આવશે. એવામાં રુદ્રદેવ નામે અભવ્ય આચાર્ય પાંચસો સુશિષ્યો સાથે આવ્યા. ગુરુએ તે સાધુઓની પરીક્ષા કાજે માત્ર લેવાની જગાએ કોલસા નંખાવ્યા. સાધુ માત્ર લેવા ઊઠ્યા. જેટલી વાર કોલસા ચંપાય તેટલી વાર પશ્ચાત્તાપ સહિત મિચ્છા મિ દુક્કડમ્ દે. તેવામાં રુદ્રદેવ આચાર્ય ઊઠ્યા. કોલસા ચંપાતાં અવાજ થયો. એકદમ કહે “અરિહંતના જીવડા મરે છે.' તે સાંભળીને મહાત્માએ ગુરુને ‘અભવ્ય’ જાણ્યા. શ્રી વિજયસેનસૂરિએ તેમને બહાર કાઢ્યા. પાંચસો શિષ્યો તપ કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી બસંતપુરમાં દિલીપ રાજાના પાંચસો પુત્રો તરીકે જન્મ્યા. એક વાર બધા કનકધ્વજ રાજાની પુત્રીના સ્વયંવરમંડપમાં ગયા. ત્યાં તે અંગારમર્દકાચાર્યનો જીવ ઊંટ થઈને ભાર વહેતો જોયો. પાંચસો પુત્રોને જાતિસ્મરણ ઊપજ્યું. પાછલા ભવના અભવ્ય ગુરુ જાણી છોડાવ્યા. વૈરાગ્યથી પાંચસોએ દીક્ષા લીધી. થોડા સમયમાં મોક્ષે જશે.] ૧ ખ કાજિ કારણ. ૨ ક લીહાલાં લંખાવિયા’ પછી મહાલાં લંખાવિયાં' પાઠ વધારાનો ૩ ખ કહઇ દિઈં. ૪કે માત્રાનઇ જાણિઉ’ પાઠ નથી. ૫ ખ ગજપુર, ૬ ૭ ગુરુણા. ૧૦૪ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International ***** For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy