________________ 18. રમતમાં કોણ ? વૈરાગી શિષ્ય : ‘ગુરુદેવ, અભયનું વરદાન કોણ આપે છે ?' ગુરુ : “વત્સ, વૈરાગ્ય અભયનું વરદાન આપે છે.” તમને કોઈપણ ભય સતાવે છે ખરો ? તમારે નિર્ભય બનવું છે ? નિર્ભય-અભય બનવાનો તમારો ખરેખર નિશ્ચય હોય તો તમે નિર્ભય બની શકો છો. તે માટે પ્રતિદિન એક જ કામ કરવાનું છે. વૈરાગ્યની ભાવના તમારા હૃદયમાં વાસનારૂપ બનાવી દેવાની છે. મનથી, વચનથી અને કાયાથી આ એક જ કામ કરી લો. વૈરાગ્યની ભાવના વાસનારૂપ બની જાય એટલે વૈરાગ્ય સ્થિર થઈ જાય. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ બનતો જશે તેમ તેમ રાગ-દ્વેષની વાસના ઢીલી પડતી જશે. રાગ-દ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન-વચન-કાયાથી પ્રહારો કરો, જેથી રાગ-વાસનાનું વિસર્જન થઈ જાય, દ્વેષની ભડભડતી આગ બુઝાઈ જાય. રાગ-દ્વેષ મંદ થતાં તમે ભયમુક્ત બનશો. અભય બનશો. તમારે દૃઢ સંકલ્પ કરવો પડશે, અવિચલ નિર્ણય કરવો પડશે કે મારે વૈરાગ્યભાવનાને વાસનારૂપ બનાવી દેવી છે. વૈરાગ્યભાવને સુદઢ બનાવવો છે જ્યાં સુધી આ સંકલ્પ નહીં કરો ત્યાં સુધી એ દિશામાં મનવચન-કાયાથી પુરુષાર્થ નહીં કરી શકો. તમારા પુરુષાર્થમાં જોશ, જુસ્સો ને ઝડપ નહીં આવે. જો તમે રાગદશાને ખતરનાક સમજી ગયા છો, એનાં ભયંકર પરિણામોથી તમે ધ્રુજી ઊહ્યા છો, એની વિનાશલીલા તમે જોઈ લીધી છે 0 0 સંવાદ