________________ 1) ત્યાં પણ પડાપડી ને ધડાધડી ! બૂમાબૂમ અને 5 દોડધામ ! ભગવાનની પૂજામાં પણ તમને શાન્તિ નથી હોતી. અધીરતા.. ઉતાવળ અને બધું ‘ઇંસ્ટન્ટ મેળવવા હવાતિયાં મારવાનાં.... ?" ધીરતાથી જીવવાનું દોહ્યલું બની ગયું છે. ખેર, સંસારમાં તો આમેય સર્વત્ર અધીરતા ને અસ્થિરતા જ છે, પરંતુ આત્મકલ્યાણના માર્ગે તો ધીરતા વિના નહીં જ ચાલે. સાધનાનો માર્ગ ધીરતાનો માર્ગ છે. 'धीरास्तु धैर्येण तरन्ति मृत्युम् !' ધીર પુરુષો જ ધર્યથી મૃત્યુ પર વિજય પામે છે. અર્થાત્ નિર્વાણને પ્રાપ્ત કરે છે. આ મોક્ષમાર્ગ તો જરાય અધીરતા ચાલે એમ નથી. ઇચ્છાઓમાં પણ અધીરતાને ચલાવી લેવાની નથી. એક વાત હમેશાં યાદ રાખો કે જીવનમાં દુઃખ જ ઝાઝું હોય છે. અને દુઃખો સામે ઝઝૂમતાં જ જીવવાનું છે. તે માટે ધર્યનું બળ આપણી પાસે હોવું જ જોઈએ. વૈર્યથી બળવાન બનો. શ્રેષ્ઠ બળ કયું? વૈર્ય * કપ