________________
૧૪. સર્વગુણનો નાશક કોણ ?
લોખ
શિષ્ય : ‘ગુરુદેવ, મનુષ્યના સર્વ ગુણોનો નાશક કોણ છે ?”
ગુરુ : ‘વત્સ, લોભ !'
પૂર્ણજ્ઞાની પુરુષોએ કહ્યું છે :
.' सर्वगुण विनाशनं लोभात्' - प्रशमरति
લોભથી સર્વ ગુણો નાશ પામે છે.
આજે આપણે આ પાપોના બાપ એવા ‘લોભ’ અંગે ચિંતન કરીશું. એના માટે ‘પ્રશમરતિ' ગ્રંથનો જ આધાર લઈને ચિંતન આગળ વધારીશું.
सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य ।
लोभस्य को मुखगतः क्षणमपिदुःखान्तरमुपेयात् ।। २९ ।।
સર્વ અપાયોનું - નુકસાનોનું વિશ્રામસ્થાન છે લોભ !
.સર્વ વિનાશનું આશ્રયસ્થાન છે લોભ !
જેટલાં વિનાશકારી તત્ત્વો છે, જેટલાં નુકસાન કરનારાં તત્ત્વો છે તે બધાં જ લોભના આશ્રયસ્થાનમાં આરામ મેળવે છે. બીજે ક્યાંય એ તત્ત્વોને આશ્રય મળતો નથી. ચોરોનું, પરસ્ત્રીલંપટોનું અને વેરની ગાંઠો બાંધનારાઓનું આશ્રયસ્થાન લોભ છે. લોભના આશ્રયસ્થાનમાં તમને ચોર જડી આવશે. પરસ્ત્રીલંપટોને બીજે શોધવા જવાની જરૂર નથી. લોભના વિશ્રામગૃહમાંથી તેઓ મળી આવશે. ક્રૂરતાની શોધ બીજે ક્યાંય કરવાની જરૂ૨ નથી, લોભના આશ્રયસ્થાનમાં તમને તે ભેટી જશે !
એવી જ રીતે, લોભ એક રાજમાર્ગ છે. સર્વપ્રકારનાં વ્યસનો પાસે
૫૪ સાદ