________________
મલયાચલ પર ચંદનનાં જ વૃક્ષો હોય છે. એ વૃક્ષો પરથી આવતો વાયુ સુગંધિત અને શીતલ હોય છે. તું એને ગ્રહણ કર. તારા મનને એ વાયુનો સ્પર્શ થવા દે. મન ઉપરથી રોષ અને રીસનાં આવરણ દૂર કરી દે, એટલે તને એ શીતળ વાયુનો સ્પર્શ થશે. એ સ્પર્શ થતાં જ તારા મનનો ઘામ-બફારો દૂર થઈ જશે. તે પ્રશમરસનો અનુભવ કરીશ.
ગુરુના ઉપદેશને, ગુરુના વચનને ચંદનરસની ઉપમા આપીને ગ્રંથકારે ગર્ભિત રીતે ગુરુજનોને પણ સુંદર માર્ગદર્શન આપ્યું છે. “હે ગુરુજનો, તમારી વાણી ચંદન જેવી શીતળ જોઈએ.’ આત્મસ્નેહથી છલોછલ વાણી શિષ્યના અંતર મનને સ્નિગ્ધ કરે છે. શિષ્યના-ભક્તના મનોભાવોને ભક્તિભીના રાખે છે. ભક્તિભીના મનોભાવો ગુરુનાં વચનોને ગ્રહણ કરી શકે છે અને આત્મસાત્ બનાવી શકે છે. ક્યારેક ગુરુને પોતાની વાણી ઉગ્ર કરવી પડે, તો પણ તેમનું હૃદય તો ચંદનના વિલેપનથી શીતળ જ હોય. કઠોર શબ્દો માત્ર અભિનયના ડાયલોગ્સ હોય !
રોજિંદા જીવનમાં ગુરુદેવની વાણીના અમૃતઘૂંટ પીનારા શિષ્યો ને ભક્તો, ક્યારેક ગુરુના ગરમ શબ્દોને સહી શકે છે, કારણ કે ગુરુના કરુણાભીના હૃદયની શિષ્યોને ઓળખાણ થઈ ગઈ હોય છે. ગુરુના અપાર વાત્સલ્યના સરોવરમાં નિત્ય સ્નાન કરનારો શિષ્ય ગુરુના ક્યારેક બોલાતા કઠોર શબ્દોની ‘ક્વિનાઈન' ગળી શકે છે. ગુરુ-શિષ્યના સાપેક્ષા સંબંધોમાં ઉભયપક્ષે કેટલીક સાવધાનીઓ, કેટલીક તકેદારીઓ રાખે પાનું માર્ગદર્શન પરમજ્ઞાની પુરુષોએ આપેલું છે.
શાસ્ત્રજ્ઞાનની તીવ્ર સુધાથી વ્યાકુળ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ માન્ય કરવાનો જ, પૈસાની તીવ્ર તંગી અનુભવનારો માણસ શું ફૂર સ્વભાવના શેઠની નોકરી નથી કરતો ? એને પંસા જોઈએ છે એટલે શેઠ પાસેથી એની અપેક્ષા માત્ર પૈસાની જ હોય છે. એ માટે શેઠનો કટુ વ્યવહાર પણ સહન કરે છે. પરંતુ એ પૂર્ણ રીતે વફાદાર અને સમર્પિત તો
પર • સંવાદ