SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ લેવાની. આપણા વિચારો સાથે જેમના વિચારોનો મૂળ જામતાં નથી તેવા લોકો સાથે પણ ઝઘડવાનું નથી ! ભલે આપણે એમના વિચારો ન સ્વીકારીએ કે તે આપણા વિચારો ન સ્વીકારે, તેમના પ્રત્યે ઉદાર વલણ રાખવાનું. ત્યાં વ્યવહાર બગાડવાનો નથી. ન ઉદારતા. આ રીતે ઉદારતાને અનેક દૃષ્ટિથી જોઈ શકાય. મહત્ત્વની વાત એ કહેવી છે કે તમે જે જે માણસમાં ઉદારતા જુઓ, તમે તેના એ ઔદાર્યગુણની પ્રશંસા કરો. ગુણની પ્રશંસા કરવી તે ગુણાનુરાગ છે અને ગુણાનુરાગ એક વિશિષ્ટ કોટિનો ગુણ છે. જ્યારે તમે બીજાની ઉદારતાની પ્રશંસા કરો છો ત્યારે તમે ઉદારતાને પ્રોત્સાહિત કરો છો ! ઉદારતાની વૃદ્ધિ કરો છો. ઉદારતાને જ્યારે સાચી પ્રશંસાનો સ્પર્શ મળે છે ત્યારે તે સહસ્રદલ કમળની જેમ ખીલી ઊઠે છે. તમારી પાસે ખૂબ પૈસો છે, તમે મંદિર બંધાવો, ઉપાશ્રય, ધર્મશાળા, પાઠશાળા, આરોગ્યશાળા આદિનું નિર્માણ કરી શકો. તમે દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરી શકો. અર્થાત્ નિર્ધન સાધર્મિકોને પગભર કરી શકો. તમે પ્રતિદિન ગરીબોને અનુકંપાદાન-અન્નદાન આપી શકો. સદાવ્રતો ચલાવી શકો. તમારી પાસે વિપુલ વૈભવ છે તો તમે ભવ્ય તીર્થયાત્રા- સંઘયાત્રા કરી-કરાવી શકો. વિશિષ્ટ કોટિનાં ધાર્મિક અનુષ્ઠાનો કરાવી શકો. ધર્મનાં ગ્રંથોને લખાવી શકો, છપાવી શકો. જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરી શકો. જીવદયાનાં અનેક કાર્યો કરી શકો. મહારાજા કુમારપાલ ઉદાર હતા, તો આચાર્યદેવ હેમચન્દ્રસૂરિજીએ તેમની પાસે કેવાં કેવાં ઉત્તમ ધર્મકાર્યો કરાવ્યાં હતાં, તે તમે જાણો. મહામંત્રી વસ્તુપાલ-તેજપાલની ઉદારતાનો લાભ અનુપમાદેવીએ કેવી રીતે લીધો હતો, તે તમે એમના જીવનચરિત્રમાં વાંચો. માંડવગઢના મહામંત્રી પેથડશાહે દેવગિરિમાં હજારો સાધર્મિકોને પોતાના ઔદાર્યથી કેવા સુખી કર્યા હતા, તે તમે જાણવા પ્રયત્ન કરો. શું પ્રશંસનીય છે ? ઉદારતા ૭ ૩૯
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy