SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. શું પ્રશંશૌય છે ? Getzal શિષ્ય : ‘ગુરુદેવ, પ્રશંસનીય શું છે ?” ગુરુ : ‘વત્સ, મનુષ્ય પાસે વૈભવ હોય તો ઉદારતા પ્રશંસનીય છે.’ લોકપ્રિયતા મેળવવા માટેનો શ્રેષ્ઠ ગુણ છે ઉદારતા. ઉદાર માણસ ઘરમાં તો પૂજાય, બહાર પણ એના ગુણ ગવાય છે. તેની સારી પ્રસિદ્ધિ થાય છે. જોકે આ તો બહારના લાભ છે. આંતરિક દૃષ્ટિએ તો તમે કલ્પના ન કરી શકો તેટલા લાભ થતા હોય છે. એ બધા લાભોની વાતો કહેવા પૂર્વે ઉદારતાના પ્રકારો બતાવી દઉં. ધનની અને અન્નની ઉદારતા સાથે મૂળભૂત ઉદારતા જોઈએ મનની ! મનની ઉદારતા. તમે બીજા જીવોને સારા વિચારો આપો, એટલે કે તમે બીજા જીવો માટે શુભ ભાવનાઓ ભાવો. ‘સહુ જીવો સુખી થાઓ... સહુ જીવો નીરોગી રહો... સહુનું કલ્યાણ થાઓ...' આવી આવી શુભ ભાવનાઓ ભાવવી, એ મનની ઉદારતા છે. બીજી ઉદારતા છે બીજાની ભૂલોની ક્ષમા આપવાની. ક્ષમા આપવામાં ઉદાર બનવાનું. એક જ વ્યક્તિ જ્યારે બે-ચાર વાર આપણી સાથે ખોટોખરાબ વ્યવહાર કરે છે ત્યારે આપણે ક્ષમા આપવામાં સંકોચાઈ જઈએ છીએ. તે સંકોચ ન રહેવો જોઈએ. ક્ષમા આપ્યા જ કરવાની છે ! ક્રોધને ક્ષમાથી જ જીતી શકાય છે. ક્ષમાદાનની ઉદારતા ધનદાન કરતાં કે અન્નદાન કરતાંય ચડિયાતી છે. અલબત્ વર્તમાનકાળે તો જલદાનનાં પણ ફાંફાં છે ! ત્રીજી ઉદારતા છે બીજાઓના, આપણાથી જુદા વિચારોને સહી ૩૮ ૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy