________________
૫. તરલ શું છે ?
યોum
(
2)
શિષ્ય : “ગુરુદેવ, સતત વહેતું શું છે ?' ગુરુઃ “વત્સ, યોવન સતત વહેતું રહે છે.”
મહાનુભાવો, જીવન કોઈ એક બંધિયાર તળાવ નથી, પરંતુ સતત વહતું-ઊછળતું-ધસમસતું ઝરણું છે. આપણે સૌ ગતિશીલ: એવા ક્ષણપ્રવાહમાં વહી રહ્યા છીએ. જ્ઞાની પુરુષોને એમાં પરિવર્તનશીલતાનું કે ક્ષણભંગુરતાનું દર્શન થાય છે. જીવનની પ્રત્યેક અવસ્થા નાશવંત છે, ક્ષણિક છે. આજે મારે તમને જીવનની યૌવનઅવસ્થા અંગે વાત કરવી છે.
જીવન નાશવંત છે, જીવન પ્રવાહી છે તો યવન પણ નાશવંત જ છે ને એ પણ વહી જવાનું છે. યૌવન કોઈનું કાયમ ટક્યું નથી કે ટકી શકવાનું નથી. યૌવન શાશ્વત નથી, ક્ષણિક છે. આ વાત યુવાનોના મનમાં ઊતરવી જોઈએ ! તો જ યૌવનમાં એવું કંઈક ઉત્તમ કાર્ય કરી લે કે જીવન ધન્ય બની જાય, સાથે સાથે મૃત્યુ પણ મહોત્સવ બની જાય.
પરંતુ યુવાનોને મનુષ્ય જીવનની સાર્થકતા સમજાવવી, આત્મતત્ત્વની પ્રતીતિ કરાવવી કે ધર્મપુરુષાર્થમાં પ્રેરિત કરવા ઘણું જ દુષ્કર કાર્ય છે. યૌવનનો ઉન્માદ, યૌવનનો ગાઢ અંધકાર લાખ-લાખ સૂર્યના પ્રકાશથી પણ ન ભેદી શકાય તેવો હોય છે. એમને સીધો ઉપદેશ પ્રાયઃ અસર કરતો જ નથી.
એક શ્રમણ ઉદ્યાનમાં ધ્યાન કરતો ઊભાં હતાં. ત્યાંથી રાજ કુમાર અગ્નિમિત્ર પસાર થયો. રાજ કુમારે શ્રમણ પાસે જઈને પૂછ્યું : “સાધુને રાજ કરતાંય વધારે આનંદ પ્રાપ્ત થાય છે, એ વાત સાચી છે ? “શ્રમણ
૧૮ ૦ સંવાદ