________________
૩. દુઃખ શું છે?
અસંત્તોપ
શિષ્ય પૂછે છે : ‘ગુરુદેવ, દુઃખ શું છે ?’
ગુરુ કહે છે : ‘અસંતોષ દુઃખ છે.’
‘પરસ્પૃહા મહાવુઃલમ્ ।’
પરપદાર્થોની મનમાં સ્પૃહા જાગે એટલે માનસિક દુઃખ શરૂ થઈ જાય છે ! સ્પૃહા એટલે ઇચ્છા... અંત વિનાની ઇચ્છાઓ એટલે અસંતોષ. મનુષ્યનો જાણે કે સ્વભાવ થઈ ગયો છે સુખોની ઇચ્છાઓ કરવાનો. સુખોનાં સપનાં જોયા જ કરે છે મનુષ્ય ! જોકે સુખોની કલ્પનાઓ ને સપનાં ભાગ્યે જ ફળતાં હોય છે. ફળતાં નથી એટલે જ તો સપનાં કહેવાય છે ! ભલે તમે સપનાઓમાં રાો... ભ્રમણાઓનાં સુખમાં રાચવાનું ઘણાને ગમે છે...
અસંતોષ
હજુ તો એક ભાઈ ખાલી હાથે મુંબઇમાં આવ્યા હતા. ધંધો... નોકરી શોધતા હતા. ત્યાં તો સપનાનો નકશો દોરવા માંડ્યો... ‘મારું મારા ઘરમાં તમામ આધુનિક સગવડો જોઈશે. ઉનાળો હોય તો પંખા અને એરકન્ડિશનર, શિયાળો હોય તો હીટ૨. ફ્રિજ જોઈશે. ફોનની પણ જરૂર પડશે. ટી.વી. વસાવીશ. ડાઇનિંગ ટેબલ જોઈશે. ડબલ બેડ અને પોચા પોચા સોફા ગોઠવીશ.'
૧૦
મેં એને પૂછ્યું, ‘તારી પોતાની તારા ઘર વિશેની કેવી કલ્પના છે.’ તો એણે કહ્યું : ‘મને સ્કાઇસ્ક્રેપર ગમતાં નથી. કોઈ બેઠા ઘાટનો નાનકડો બંગલો હોય, એ બંગલાની આસપાસ અસંખ્ય વૃક્ષો હોય, બહાર નીકળીએ ત્યારે ખુલ્લું આકાશ હોય, અંદર મોટી મોટી બારીઓ હોય... બારીઓમાંથી
સંવાદ