SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ A'S જાણે કે.... 'सावन हुं मरुस्थल की चिंता क्या ? खेत नहीं बादल की चिंता क्या ? हम मस्ताने गोरख के चेले, आज बिताया कल की चिंता क्या ?' આજ જો નારાજ નથી. તો આવતીકાલ માટે આકુળ-વ્યાકુલ કે | પરેશાન થવાની આવશ્યકતા નથી. આજન.. આનંદસભર બનાવીએ... આજની આસપાસ અફસોસ કે અવસાદથી આવરાવી ના જોઈએ ! વર્તમાનને વેદનાના વલોપાતથી વીંખી નાંખવાની આદતથી બાજ આવવું જોઈએ. શાસ્ત્રો કહે છે; “ નાદિ વંહિયાં' જે ક્ષણને જાણે છે. અર્થાત ક્ષણને જીવે છે.... ક્ષણમાં જીવે છે. સમયને સમજીને, સમયજ્ઞ બનીને જીવે છે એ જ સાચા અર્થમાં પંડિત છે. શીખવા-સમજવા માટે જિંદગી જેવી અન્ય કોઈ પાઠશાળા નથી ! આ પુસ્તકના પાને પાને પથરાયેલા... વિચારોમાં એક આખું આગવું વિશ્વ ઉઘડે છે. જરા શાંતિથી.. આરામથી... પલાંઠી વાળીને બેસીને આ પુસ્તકની યાત્રા કરવા જેવી છે ! અવશ્ય. જિંદગીના કેનવાસ પરથી નીરસતાના ધાબાં નીતરી જશે અને મોજીલી મદીલી... મસ્તીભરી જીવંતતા ઉભરવા માંડશે. જીવન જીવવું વધું ગમશે.... જીવન થોડું વધારે સભર-સમૃદ્ધ બનશે. ભીતરથી જે માલામાલ છે. એણે બાહરના હાલચાલ માટે બહું હાંફળા-ફાંફળા રહેવાની જરૂર નથી. શબ્દોને સતરંગી સોદાગર કવિ મકરંદ દવેની નર્મ-મર્મ વાણીમાં કહીએ તો... ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !” આ ધૂળિયો મારગ ધબકતો છે... રણકતો છે.. અને આ રણકાર રાણીછાપ રૂપિયાનો છે. નિકલ કે નકલી ધાતુનો નહીં ! આ ભીતરનો રણકાર આપણને અંદરનો અણસાર આપે એવી અભ્યર્થના. “સંવાદ' પુસ્તકની મુદ્રણપ્રતનું વાંચન કાળજીપૂર્વક વિદુષી મહાસતીજી પધાબાઈએ કર્યું છે. એમને શત શતઃ ધન્યવાદ ! ૧૪-૨- ૧૯૯૮ - ભદ્રબાહુવિજય)
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy