________________
A'S
જાણે કે.... 'सावन हुं मरुस्थल की चिंता क्या ? खेत नहीं बादल की चिंता क्या ? हम मस्ताने गोरख के चेले,
आज बिताया कल की चिंता क्या ?'
આજ જો નારાજ નથી. તો આવતીકાલ માટે આકુળ-વ્યાકુલ કે | પરેશાન થવાની આવશ્યકતા નથી.
આજન.. આનંદસભર બનાવીએ... આજની આસપાસ અફસોસ કે અવસાદથી આવરાવી ના જોઈએ ! વર્તમાનને વેદનાના વલોપાતથી વીંખી નાંખવાની આદતથી બાજ આવવું જોઈએ.
શાસ્ત્રો કહે છે; “ નાદિ વંહિયાં' જે ક્ષણને જાણે છે. અર્થાત ક્ષણને જીવે છે.... ક્ષણમાં જીવે છે. સમયને સમજીને, સમયજ્ઞ બનીને જીવે છે એ જ સાચા અર્થમાં પંડિત છે.
શીખવા-સમજવા માટે જિંદગી જેવી અન્ય કોઈ પાઠશાળા નથી !
આ પુસ્તકના પાને પાને પથરાયેલા... વિચારોમાં એક આખું આગવું વિશ્વ ઉઘડે છે. જરા શાંતિથી.. આરામથી... પલાંઠી વાળીને બેસીને આ પુસ્તકની યાત્રા કરવા જેવી છે ! અવશ્ય. જિંદગીના કેનવાસ પરથી નીરસતાના ધાબાં નીતરી જશે અને મોજીલી મદીલી... મસ્તીભરી જીવંતતા ઉભરવા માંડશે. જીવન જીવવું વધું ગમશે.... જીવન થોડું વધારે સભર-સમૃદ્ધ બનશે.
ભીતરથી જે માલામાલ છે. એણે બાહરના હાલચાલ માટે બહું હાંફળા-ફાંફળા રહેવાની જરૂર નથી. શબ્દોને સતરંગી સોદાગર કવિ મકરંદ દવેની નર્મ-મર્મ વાણીમાં કહીએ તો...
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !” આ ધૂળિયો મારગ ધબકતો છે... રણકતો છે.. અને આ રણકાર રાણીછાપ રૂપિયાનો છે. નિકલ કે નકલી ધાતુનો નહીં ! આ ભીતરનો રણકાર આપણને અંદરનો અણસાર આપે એવી અભ્યર્થના.
“સંવાદ' પુસ્તકની મુદ્રણપ્રતનું વાંચન કાળજીપૂર્વક વિદુષી મહાસતીજી પધાબાઈએ કર્યું છે. એમને શત શતઃ ધન્યવાદ !
૧૪-૨- ૧૯૯૮
- ભદ્રબાહુવિજય)