SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સંજ્ઞા હોય છે. દૃષ્ટિવાદી : સમ્યગ્દૃષ્ટિને આ સંજ્ઞા હોય છે. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો અસંશી – મન વગરના છે. - દીર્ઘકાલિકીમાં ત્રિકાળ વિચારણા હોય છે, હેતુવાદામાં વર્તમાનકાલીન વિચારણા હોય છે, તે બંને વૈભાવિક દશા છે, દૃષ્ટિવાદામાં ત્રિકાળ વિચારણા મોક્ષ માર્ગાનુસારી હોવાથી તે સર્વોત્કૃષ્ટ છે. જોકે કૃમિ આદિ ચતુરિન્દ્રિય જીવોમાં સૂક્ષ્મમન-ભાવમન હોય છે, પરંતુ તેમનું કાર્ય ફક્ત દેહલક્ષી જ છે અને અહીં દેહલક્ષ્ય સિવાય અન્ય વિકાસની ક્ષમતા ધરાવનાર મનની વિવક્ષા છે. विग्रहतौ कर्मयोगः ૨-૨૬ ૨-૨૬ વિગ્રહગતૌ કર્મયોગઃ વિગ્રહગતો કર્મયોગઃ ૨-૨૬ વિગ્રહગતિમાં (ભવાંતરે જતાં વક્રગતિમાં) કાર્મણ કાયયોગ હોય છે. વિગ્રહતિ : સંસારી જીવ વિદ્યમાન દેહ ત્યજી જ્યારે કર્મવશ નવો દેહ ધારણ કરે છે, ત્યારે એ આકાશશ્રેણિએ જે ગતિ કરે છે તે વિગ્રહગતિ છે, તે ગતિ કરવામાં કાર્યણ શરીરની સહાય હોય છે. યોગ : સંસારી જીવ મન, વચન અને કાયાના યોગ દ્વારા પ્રવૃત્તિ કરે છે. યોગ એ આત્મપ્રદેશોની સ્ફુરણારૂપ આત્મશક્તિ છે. તે શક્તિના ઉપયોગ માટે આ યોગ સાધન છે. ભવાંતરે જતાં કાર્યણકાય યોગ હોય છે. મન, વચનનો અભાવ છે. જીવને પરભવમાં જતાં બે પ્રકારની ગતિ હોય છે. ૧. વિગ્રહ એટલે વળાંક; ૨. અવિગ્રહ એટલે વળાંકરહિત. અવિગ્રહ ગતિમાં વળાંક ન હોવાથી તે એક જ સમયની છે. છૂટેલા તીરની જેમ ઇષ્ટ સ્થાને પહોંચે છે. ૬૨ ૐ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy