SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવ નિશ્ચયથી થઈ જાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અપેક્ષાએ કર્મસાપેક્ષ હોવા છતાં તેમાં કર્મોનો અભાવ હોવાથી તેનો કેવળ અભાવ અહીં . માનવામાં આવ્યો નથી. સર્વે કર્મોનો ક્ષય થતાં આત્માનું ઊર્ધ્વગમન तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्तात् તદનન્તરમૂધ્રુવં ગચ્છત્યાલોકાત્તાત્ તદનન્તર ઊર્ધ્વ ગતિ-આલોકાન્તાત્ સઘળાં કર્મોનો ક્ષય થતાં આત્મા ઉપર લોકાંત સુધી જાય છે. ૧૦-૫ ૧૦-૫ ૧૦-૫ આત્મા જ્યારે સર્વ કર્મોથી રહિત થાય છે તે સમય ત્રણ પ્રકાર એ જ સમયે બને છે. (૧) દેહનો આત્યંતિક વિયોગ (૨) ઊર્ધ્વગમન પ્રતિ ગતિ (૩) લોકાગ્રે સ્થિતિ. ૧. દેહનો આત્યંતિક વિયોગ : સર્વ-કર્મનો ક્ષય થતાં જીવને દેહનો સંબંધ છૂટી જાય છે અને નવો જન્મ ધારણ થતો નથી તેથી દેહનો આત્યંતિક વિયોગ કહ્યો છે. ૨. ઊર્ધ્વગમન પ્રતિ ગતિ : દેહનો આત્યંતિક વિયોગ થતાં અને અન્ય કોઈ કર્મનો યોગ ન હોવાથી જીવ પોતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગમન કરે છે. ૩, લોકાગ્રે સ્થિતિ : કર્મકલંક રહિત સિદ્ધોના જીવો ચારગતિના કોઈ સ્થાનમાં હોતા નથી. પરંતુ સિદ્ધોનું સ્થાન લોકાગ્રે છે. આમ કર્મક્ષય સાથે આ પ્રમાણે એક સાથે જ આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. લોકાગ્ર : લોકના ઉપરના ભાગમાં અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં ૩૩૩- ધનુષ જેટલા ભાગમાં સિદ્ધો વસે છે. દરેક સિદ્ધ 3. અધ્યાય : ૧૦ • સૂત્ર : ૫ ૪ ૩૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy