________________
પુલાક, કુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક એ પાંચ પ્રકારના નિગ્રંથો સાધુઓ છે.
(૧) પુલાક : પુલાક એટલે નિઃસાર. ગર્ભથી-સારથી રહિત ફોતરાં કે છાલ જેમ નિઃસાર હોય છે. તેમ જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અતિચારો લગાડવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં સારથી રહિત બને છે તે પુલાક.
પુલાકનાં બે ભેદ છે. (૧) લબ્ધિપુલાક (૨) સેવાપુલાક
લબ્ધિપુલાક અનેક પ્રકારની લબ્ધિઓને ધારણ કરે છે. તે ધારે તો લબ્ધિથી ચક્રવર્તીને અને તેના સઘળા સૈન્યને ચૂર્ણ કરી શકે છે. તે તપ અને શ્રુતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓનો નિષ્કારણ પોતાની મહત્તા બતાવવા તથા પોતાની ખ્યાતિ વધારવા ઉપયોગ કરવાથી સંયમના સારથી રહિત બને છે. તેનામાં શ્રદ્ધા પૂર્ણ હોય છે. ચારિત્રના પરિણામ પણ હોય છે. છતાં પ્રમાદવશ બની લબ્ધિઓનો ઉપયોગ કરી આત્માને ચારિત્રના સારથી રહિત કરે છે.
સેવાપુલાકના પાંચ ભેદ છે. જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, અને સૂક્ષ્મપુલાક.
૧. જ્ઞાનપુલાક – કાળે ન ભણે, અવિનયથી ભણે, વિદ્યાગુરુનું બહુમાન ન કરે, યોગોહન કર્યા વિના ભણે, સૂત્રનો ઉચ્ચાર અને અર્થ અશુદ્ધ કરે ઇત્યાદિ જ્ઞાનના અતિચારો લગાડે.
૨. દર્શનપુલાક – શંકા આદિથી દર્શનગુણમાં અતિચારો લગાડે. ૩. ચારિત્રપુલાક – મૂલ (પાંચ મહાવ્રતો) ગુણોમાં અને ઉત્તર (પિંડ વિશુદ્ધિ આદિ) ગુણોમાં અતિચારો લગાડે.
-
૪. લિંગપુલાક – નિષ્કારણ શાસ્ત્રોક્ત લિંગથી અન્ય લિંગને – સાધુવેષને ધારણ કરે.
-
૫. સૂક્ષ્મપુલાક – મનથી અતિચારો લગાડે.
(૨) બકુશ
Jain Education International
બકુશ એટલે શબલ – ચિત્રવિચિત્ર. વિશુદ્ધિ અને
અધ્યાય ઃ ૯ • સૂત્ર : ૪૮ ૪૨ ૩૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org