________________
ઝાંખો, ઘણો ઝાંખો થતાં કેટલા ભેદ થઈ જાય છે ! તેમ સ્પર્શાદિ વિષે
સમજવું.
પુદ્ગલના શબ્દાદિ પરિણામોનું વર્ણન
શબ્દ-વન્ય-સૌમ્ય-સ્ત્રીત્ય-સંસ્થાન-ખેત
तमश्छायाऽऽतपोद्योतवन्तश्च
શબ્દ-બંધ-સૌમ્ય-સ્થોલ્ય-સંસ્થાન-ભેદતમછાયાડડતપોઘોતવન્તશ્ર
શબ્દ-બંધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-ભેદ
Jain Education International
તમઃ-છાયા-આતપ-ઉદ્યોત-વન્તઃ ચ ૫-૨૪
પુદ્ગલો શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે. તે પુદ્ગલનાં પરિણામો અવસ્થા છે.
-
૫-૨૪
૧. શબ્દ : શબ્દ પુદ્ગલનો પરિણામ છે એ વિષે નીચે મુજબ યુક્તિઓ છે. (૧) વાગતા ઢોલ ઉપર પૈસો પડે તો તે અથડાઈને દૂર ફેંકાય છે. (૨) જોરદાર શબ્દો કાને અથડાય તો કાન ફૂટી જાય કે બહેરા થઈ જાય. (૩) જેમ પથ્થર વગેરેને પર્વતાદિનો પ્રતિઘાત થાય છે તેમ શબ્દને પણ કૂપ વગેરેમાં પ્રતિઘાત થાય છે, અને તેથી તેનો પડઘો પડે છે. (૪) વાયુ વડે તૃણની જેમ દૂર દૂર ઘસડાય છે. (૫) પ્રદીપના પ્રકાશની જેમ ચારે તરફ ફેલાય છે. (૬) એક શબ્દ બીજા શબ્દનો અભિભવ કરી શકે છે. અર્થાત્ મોટા શબ્દથી નાના શબ્દનો અભિભવ થઈ જાય છે. આથી જ દૂરથી મોટો અવાજ કાને અથડાતો હોય તો નજીકના પણ શબ્દો સંભળાતા નથી. (૭) પહેલા દેવલોકમાં સૌધર્મસભામાં રહેલી સુઘોષા ઘંટા વાગતાં તેવા પ્રકારની વિશિષ્ટ રચનાથી સર્વ વિમાનોમાં રહેલી ઘંટાઓ વાગવા માંડે છે. જો શબ્દ પુદ્ગલ ન હોય તો આ પ્રમાણે બની શકે નહિ. આમ અનેક રીતે શબ્દ પુદ્ગલ
૧૫૬ ઃ તત્ત્વમીમાંસા
૫-૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org