________________
મારા
રૈવેયકોની પૂર્વે કલ્પો પૂજ્ય-પૂજકભાવ વગેરે મર્યાદા છે. • જ્યાં લ્પ હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પપપત્ર અને જ્યાં કલ્પ ન હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. આથી ક્યાં સુધી કલ્પ છે, તે આ સૂત્રમાં જણાવ્યું છે. સૌધર્મથી અશ્રુત સુધીના ૧૨ દેવલોકમાં કલ્પ છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં કલ્પ નથી. કલ્પાતીત દેવોમાં સામાનિક વગેરે ભેદો નહિ હોવાથી સર્વ દેવો પોતપોતાને ઈદ્ર માને છે. તેથી તેઓ અહમિદ્ર કહેવાય છે.
લોકાંતિક દેવોનું સ્થાન ब्रह्मलोकालया लोकान्तिकाः ૪-૨૫ બ્રહ્મલોકાલયા લોકાન્તિકાઃ ૪-૨૫ બ્રહ્મલોકાલયા લોકાન્તિકાઃ ૪-૨૫
લોકાંતિક દેવોનું સ્થાન બ્રહ્મલોક છે. લોકાંતિક દેવો બ્રહ્મલોકમાં રહે છે. બ્રહ્મલોકમાં રહેનારા સઘળા દેવો લોકાંતિક નથી. કિન્તુ જેઓ બ્રહ્મલોકના અંતે રહેલા છે તે દેવો, લોકાંતિક કહેવાય છે. બ્રહ્મલોકના અંતે ચાર દિશામાં ચાર વિમાનો, ચાર વિદિશામાં ચાર વિમાનો અને એક મધ્યમાં એમ નવ વિમાનો આવેલાં છે. આ નવ વિમાનના કારણે તેમના નવ ભરે છે. બ્રહ્મલોકના અંતે વસવાથી અથવા લોકનો-સંસારનો અંત કરનારા હોવાથી તેમને લોકાંતિક કહેવામાં આવે છે. જ્યારે તીર્થકર ભગવંતોનો પ્રવજ્યાકાળ આવે ત્યારે તેઓ તેમની પાસે આવીને “જય જય નંદા, જય જય ભદ્રા” એ પ્રમાણે સ્તુતિ કરવાપૂર્વક તેમને “ભયવં તિë પવહ” ( હે ભગવંત તીર્થને પ્રવર્તાવો.) એ પ્રમાણે તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતી કરે છે.
મામા
મ
-
અધ્યાય : ૪ • સૂત્ર : ૨૫ કે ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org