________________
(૩૪)
૨૯ જૂન, ૧૯૯૨
અમદાવાદ પ્રિય ભાઈ મકરન્દભાઈ,
આપને રૂબરૂ વાતચીત થઈ એ પ્રમાણે લંડનથી ભાઈ હરિતભાઈ ત્રિવેદીએ પરંપરાગત સાહિત્યની જાળવણી માટે ઉપયોગમાં લેવા રૂ.૧૦,૦૦૦/- ફાર્બસ ગુજરાતી સભાને દાન તરીકે આપ્યા છે અને એનો ઉપયોગ આપણે નંદીગ્રામ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફાર્બસ ગુજરાતી સભાના સહયોગથી કેટલાંક પરંપરાગત ભજનોની કેસેટ તૈયાર કરાવવા માટે અને આવશ્યક હોય ત્યાં તેમનો પાઠ પ્રકાશિત કરાવવા માટે કરવા વિચાર્યું છે.
આ માટે રૂ. ૧૦,૦૦૦)નો ખર્ચ કરવાની મર્યાદા છે. પછી એકાદ હજાર વધારે થાય તો તેનો પ્રબંધ થઈ શકશે. આ રકમ ફાર્બસ ગુજરાતી સભા આપશે. આપે આ માટે રેકર્ડ કરવાની પરંપરાગત ભજનોની પસંદગી કરી આપના ધ્યાનમાં એ ભજનો જૂની ઢબે જે ગાનારાં હોય તેની પાસે ગવડાવીને રેકર્ડ કરાવવાની જવાબદારી સંભાળવાની છે. આ માટે જરૂરી કેસેટનો ખર્ચ, ગાયકને આપવાનું વળતર અને ભજનોના પૂરા કે નમૂનારૂપ પાઠો (તમે જે રીતે પસંદ કરો તે રીતે)નું મુદ્રણ–એટલો ખર્ચ કરવાનો રહેશે.
આ યોજના સમગ્ર રીતે તમારી સલાહસૂચના, માર્ગદર્શન પ્રમાણે જ પાર પાડવાની છે. તે માટે કોઈ સમયનું પણ બંધન નથી. પણ અનુકૂળતા પ્રમાણે આ કામ વહેલી તકે પાર પડે તો સારું.
ભજનોની કેસેટના બે સેટ તૈયાર કરાવવાના છે. જેમાંથી એક આપના ટ્રસ્ટ માટે અને એક ફાર્બસ માટે. ખર્ચ માટેનો રૂા. ૧૦,૦૦૦/–નો ચેક નંદીગ્રામ ચેરિટેબલ ટ્રસ્ટને નામે આ સાથે મોકલી આપીએ છીએ. અવકાશે પહોંચ લખી આભારી કરશો.
હ.ચૂં. ભાયાણી
પ્રમુખ ફાર્બસ ગુજરાતી સભા
૫૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org