SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ભજનવિદ્યાતીર્થ અભ્યાસગૃહ, ગ્રંથાલય, અધ્યાપક-નિવાસ, વિદ્યાર્થીગૃહ, સંગીત-સાધનો. ભાષાવિદ્ તેમજ સંકેતોના મર્મજ્ઞ અધ્યાપક. કાર્ય : અભ્યાસની સામગ્રી એકત્રિત કરી સાચી વાચના તૈયાર કરવી તથા વાણીમાં રહેલા વાચ્યાર્થથી માંડી રહસ્ય-દર્શન સુધી વિદ્યાર્થીને અભ્યાસ કરાવવો. ૨૩૬ મંત્ર, છંદ, પદ તથા ભજનના શુદ્ધ ઉચ્ચાર અને અસલ ઢાળના જાણકાર ગાયક અધ્યાપક. કાર્ય : મંત્રોચ્ચાર, છંદગાન તેમજ ભજનને પદ્ધતિસર ને પ્રાણવાન રીતે રજૂ કરવાની વિદ્યાર્થીઓને તાલીમ આપવી. સંગીતજ્ઞ સ્વરનિયોજક અધ્યાપક. કાર્ય : નિયત કરેલી અભ્યાસની સામગ્રીને સ્વરબદ્ધ કરી આપવી તથા વાણીમાં રહેલા સંગીત-તત્ત્વનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું. અભ્યાસક્રમ : ઉપરના અભ્યાસક્રમમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ ત્રણ અધ્યાપકો દ્વારા ઋષિવાણી, સંતવાણીના અભ્યાસની જોગવાઈ કરવી. અધ્યાપક તથા વિદ્યાર્થીઓના નિવાસ તેમજ ભોજનના ખર્ચનો પ્રબંધ કરવો. જાહેર કાર્યક્રમો : અભ્યાસક્રમ પૂરો થયા પછી ગુરુ-શિષ્યો દ્વારા આ સંકલિત ઋષિ-સંતવાણીના જાહેર કાર્યક્રમો યોજવા. સ્વરાંકન સહિત પુસ્તિકાઓ પ્રગટ કરવી. આ કાર્યક્રમો પાછળ રહેલી જીવનદૃષ્ટિનો પરિચય કરાવવો. આ માત્ર મનોરંજન નથી પણ સંસ્કાર-ઘડતર અને સંસ્કૃતિ-નિર્માણ માટે વાઙમયી ઉપાસના છે તેની જનતાને સમજ આપવી. ૭. આચારનિષ્ઠા : ગુરુશિષ્યોએ આ માટે વાણીનાં મર્મદ્વાર ખોલતા નવી હવા ઊભી કરવી. એકાંતમાં ચાલતાં ઊંડા અભ્યાસ અને લોકસમુદાય વચ્ચે યોજાતા સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy