________________
અવકાશે એવાં કેટલાંક સ્થાનોની ચર્ચા કરવાનો મારો વિચાર છે પણ પહેલાં તો બડથ્થાલના એ પુસ્તકની ભાળ અહીંનાં પુસ્તકાલયોમાંથી મેળવવી પડશે. હમણાં ગોરખનાથનો અમનયોગ પણ જોવાનું થયું. કોઈક ધાર્મિક ટ્રસ્ટે પ્રકાશિત કરેલ આ આવૃત્તિમાં પાઠની ગરબડ છે, અને ક્યાંથી પાઠ લીધો છે તે પણ કહ્યું નથી !..... ‘વિ.ચે.વ.’ વાંચી લીધા પછી ‘પ્રતિરૂપ' વાંચી જઈશ... ૮૪ સિદ્ધોનાં નામોમાંથી કેટલાંકનો અર્થ થઈ શકે તેવું નથી. પ્રાદેશિક નામો છે. કેટલાંક તેમના વિશેની દંતકથા ઉપરથી લોકપ્રચલિત થયાં લાગે છે. પૂરો સાજો થયા પછી જૂનમાં આવીશ ત્યારે એ વિશે થોડુંક ‘ઉત્ખનન’ કરવા ધારું છું. જ્યારે પત્ર લખો, ત્યારે ઉત્પલને સરનામે જ મોકલશો. કુંદનિકાબહેન મજામાં હશે.
૧૬૪
Jain Education International
—
લિ. હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org