________________
(૬૮)
તા. ૧૯-૯-૯૪
નંદિગ્રામ
આત્મીય ભાઈ,
ભરતભાઈ મારો પત્ર આપી ગયા હશે. પછી સત્સંગ અને આ અસત્ ખોળિયાના હાલની પૃચ્છા ને હવાલનો આંખે દેખ્યો અહેવાલ. આ વેળા સારો એવો માર પડ્યો. પણ મારા સ્નેહી ડૉ. શાંતિભાઈ (યુરોલોજિસ્ટ) અને તેમનાં પત્ની મંજુબહેન બરાબર ટાંકણે આવી પહોંચ્યાં ને વધારે હાલાકીમાંથી બચાવી લીધો. પાછું બધું થાળે પડતું જાય છે. અબોલા રાણીની સેવામાં મન પરોવાઈ ગયું. ત્રીજી આંતરકથા અરધી લખી આ પત્ર લખવા બેઠો છું. સૂફીકથાનો અનુવાદ ભરતભાઈ કરતા ગયા છે એટલે એટલું દળણું ઓછું. થોડા દિવસમાં ત્રીજો લેખ મોકલીશ.
- રમણભાઈ બધા હપ્તા છાપશે એમ તેમનો યે પત્ર હતો. મેં લખેલું કે આપણે તો ગણેશ બેસાડ્યા તે મંગલ આરતી પછીજ વિદાય અપાય. અરધું અહીં અરધું ત્યાં એમાં વાચક–ગ્રાહક માટે પણ ક્યે ઘેર ભાણું જેવું થાય. સારું થયું.
સૂફી કથાની જેવી, આપણે ત્યાંની કથાને મળતી ઝેન-કથાની નકલ આ સાથે બીડું છું. આપણે ત્યાં અબુધ કાણો ભરવાડ ને પંડિતની સંકેતો દ્વારા થયેલા શાસ્ત્રાર્થની વાત જાણીતી છે. એવી જ આ ઝેન સાધુઓની કથા કેટકેટલા દેશનાં પાણી પી, નવો કોઠો ધારણ કરતી આ કથાઓ વહેતી હશે ?
હસુભાઈએ કરાવેલી નકલ તથા “સૂડા બહોતેરી'નું કવિત્ત મળ્યાં. “નંદો, વંદો, તજો, ભજો”– એ બ્રહ્મવાક્ય આપણે ત્યાં અનેક કંઠેથી સંભળાય છે. ગોરખ:
કોઉ નિંદે, કોઉ વંદે, કોઉ કરે હમારી આસા,
ગોરખ કરે સુનો રે અબધુ, યહ પદ બડા નિરાસા, મીરાં : કોઉ નિંદ, કોઉ બંદી,
મોં તો ગુન ગોવિંદ કા ગાસ્યાં, ૧. પરિશિષ્ટ જુઓ. સેતુબંધ
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org