SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા થઈ ગઈ ? ચાતુમસ કરવા આવી ગયા હતા. બે પાંચ સાધવજી મહારાજાએ પણ ચાતુર્માસ નિમિત્તે આવ્યા હતા. આથી વિમલશ્રી અને દેદા શાહને સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું. બંને માણસે હંમેશ વ્યાખ્યાન સાંભળવા પણ જતા અને ટાણે અવસરે નાને મોટો જમણવાર કરતા, ગરીબ શ્રાવકોને ધંધે ચડાવવા સહાયક પણ થતા. વિમલશ્રી પણ ધર્મકાર્યમાં પૂરેપૂરી સાથ આપતી હતી. એક ઘનઘોર રાત્રિએ પતિપત્ની સૂઈ રહેવાની તૈયારી કરતાં હતાં ત્યારે વિમલશ્રોએ કહ્યું, “સ્વામી, આપણી પાસે સોનાને ઘણે સંગ્રહ થઈ ગયો છે. મને લાગે છે કે ધન પ્રત્યે મનમાં મેહ જાગે તે પહેલાં દાન પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ.” પ્રિયે, તારી વાત સાચી છે. હું તેનું બનાવું છું તેની પાછળ નથી મોહ કે નથી લે. આપણે કંઈક ઉત્તમ કામ કરી શકીએ એ જ મારો હેતુ છે. હું બરાબર સમજું છું કે આયુષ્ય પૂરું થતાં આ બધું છોડીને ચાલ્યા જવું પડશે. વળી જે આપણું નથી, તેના પ્રત્યે મમત્વભાવ શા માટે રાખવો જોઈએ? તું એક કાર્ય કરજે. કોઈપણ યાચક આપણે આંગણેથી ખાલી હાથે પાછે ન જ જોઈએ. એક પાકશાસ્ત્રી રાખી લઈએ. એક બે બાઈઓ ને એકાદ વધુ દાસ પણ રાખી લઈએ. એથી તું પણ ધર્મકાર્યમાં કંઈક નિવૃત્ત થઈ શકીશ. મને બી જે વિચાર એ આવે છે કે અન્ન દાન જેવું મહાદાન આપણે શરૂ કરીએ, આ નગરીમાં પણ આપણે એક ભજનગૃહ ઊભું કરીએ. કેઈ યાત્રિક, અભ્યાગત કે સાધુ સંત ત્રણ દિવસ સુધી જમી શકે એવી વ્યવસ્થા વિચારીએ.” આપને વિચાર ઉત્તમ છે. ચાતુર્માસ પૂરો થાય તે પહેલાં જ આપ આ અંગે વ્યવસ્થા કરી લે. તમને યાદ હેય તે ગઈ કાલે મહારાજશ્રીએ પણ વ્યાખ્યાનમાં આવા ગામને પાદર એક શુદ્ધ અને સાત્વિક ભોજનશાળા હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.' Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy