SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ દેદા શાહ ચિત્તને શ્રીજિનેશ્વર ભગવંતના પવિત્ર સ્મરણમાં મગ્ન બનાવજે. જાણતાં અજાણતાં કેઈને આપણું હાથે દુઃખ થયું હોય તો તેની ક્ષમા માગી લેજે. ક્ષમા આપી દેજે. હૃદયને શુદ્ધ અને ચિત્તને નિર્મળ રાખજે.” વિમલશ્રી શાંત ભાવે સાંભળી રહી હતી. પિથડ, ઝાંઝણ અને પ્રથમણિ સજળ નયને ત્યાં જ ઊભાં હતાં. વમનને એક પ્રચંડ વેગ આવ્યો હતો. દેદા શાહે બુલંદ સ્વરે નવકારમંત્રને પાઠ શરૂ કર્યો. તેઓ સમજી ગયા હતા કે, દીવડો બુઝાવાની અણી પર છે. વિમલથી વેગ શમી ગયા ત્યારે દેદા શાહે કહ્યું : “વિમલશ્રી તારી કે ઈપણ શુભ કાર્ય કરવાની ભાવના હોય તે સભાન દશામાં કહેજે...” ક્ષણ સ્વરે વિમલશ્રીએ કહ્યું: “મારી પાછળ કઈ રડશો કરશે નહિ. હું સુખ અને શાંતિભર્યા શ્વાસ લઈ રહી છું. તમે તો પામી ગયા છે બને તેટલું શુભકામમાં વાપરજે.” નવકારમંત્રનું સ્મરણ ચાલું જ હતું અને વિમલથી પણ મનમાં નવકારનું સ્મરણ કરી રહી હતી. વાતાવરણ ભારે ગંભીર હતું. અને લગભગ બે ઘટિકા પછી દેહરૂપી પિંજરમાં પુરાયેલું પંખી ઉડી ગયું. દેદા શાહ ઘણા સ્થિર અને સ્વસ્થ હોવા છતાં તેમનાં ન્ય સજળ થઈ ગયાં પ્રથમણિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કારણ કે તેણે વિમલશ્રી, દ્વારા સગી જનેતા કરતાં યે વિશેષ વાત્સલ્ય પ્રાપ્ત કર્યું હતું. થિડ નવજવાન હતા. તે પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડે. અને દાદીમાના વાત્સલ્યથી સદાય હસતે રમતો ઝાંઝણ પણ રડી પડો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy