SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ દેદા શાહ દેદા શાહે દરાજને આવકાર આપ્યો. વૈદરાજે વિમલશ્રીની નાડી, પેટ, જીભ, આંખ, નળ વગેરેની તપાસ કરીને કહ્યું: “શેઠજી, મારાં બાને ઘોર અજીર્ણને કારણે વિકૃચિકા નામનો વ્યાધિ થયો છે. હું દસ ગુટિકા આપું છું. દર બબે ઘટિકાએ એક એક ગોળી ડુંગળીના રસમાં આપજે. ત્રણથી ચાર ગુટિકા જતાં જ વળતાં પાણી દેખાવા માંડશે.' વિમલશ્રીને તરત વમનને એક વેગ આવ્યો. પ્રથમણિએ તત્કાળ પાળું ધયું. પાણી જેવું કંઈક વેતભ વમન થયું. વૈદરાજે વમન જોયું ને કહ્યું : “એમને પાણી ન આપશે. મોટું સ્વચ્છ કરવા કોગળા પૂરતું આ પી શકાશે. હવે આપ તત્કાળ ડુંગળી મગાવે.” વિમલથીએ ક્ષીણ સ્વરે કહ્યું : “વૈદરાજ, મારે જાવજીવની કંદમૂળની બાધા છે.” ઓહ, તો તે આદુનો રસ કે લસણું કશું નહીં લઈ શકાય. આ રોગમાં ડુંગળી અમૃત સમાન છે.” “આપની વાત સત્ય છે. ધર્મ દૃષ્ટિએ જે વસ્તુને ત્યાગ કર્યો હેય તે વસ્તુ જીવવા માટે લેવી તે એક અપરાધ છે. પાણીમાં લેવાય તે ? દેદા શાહે પૂછયું. એમને એમ ગળી જવી. પાણીનો તો નિષેધ છે. પણ મધમાં લઈ શકાશે.' ના... મધને ઉપગ પણ મહા હિંસા છે અને આપના ઔષધમાં તે એવો કોઈ કંદમૂળવાળો કે અભય પદાર્થ નથી આવતોને” દેદા શાહે પૂછયું. વૈદરાજે તરત કહ્યું : “ના. માત્ર લીંબુના રસમાં ઘૂટેલ છે.” કહી વૈદરાજે પિટિકામાંથી વિષુચિકા વિધ્વંસ રસની દસ ચઠી જેવડી ગેળીયું કાઢીને આપી. ત્યાર પછી વૈદરાજ ને પિથડ બહાર જવા ઊભા થયા. વૈદરાજે વિમલીને દૌર્ય, હિંમત અને પ્રેરણા આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy