SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ‘દા શાહ તારું અનુમાન સાચું છે તું તે શયામાં પડી કે તરત નિદ્રાધીન થઈ ગઈ હતી અને હું વિવિધ વિચાર તરગમાં એવી અથડાઈ રહી હતી કે મને છેક પાછલી રાતે નિદ્રા આવી હતી. પણ આ ઉજાગરે કાયાને નહોતે-મનને હતે. અને જ્યારે નજર સામે રણભૂમિ દેખાતી હોય ત્યારે કઈ યોધ્ધો અાગૃત રહી શકતા નથી.” કઈ વાતના વિચાર આવતા હતા ?” અનેક વાતેના...પ્રથમ હું શૌચ સ્નાનાદિથી નિવૃત્તિ થઉ. પછી હું તને માનસ સરોવરમાં રમી ગયેલા તરંગોની મામિતી આપીશ.” કહી નાગિની જળપાત્ર લઈને ભવનની પાછળના ભાગમાં આવેલા વાડા તરફ વિદાય થઈ. મુનીમકાકા પણ દર્શન પૂજન કરીને આવી ગયા હતા. તેઓ બીજું કઈ વત લઈ શકતા નહોતા પરંતુ ચોવિયારો નિયમ છે. છેક નાનપણથી સાચવી રહ્યા હતા. મુનીમજી દાતણ પાણીને લોટો લઈને એક વૃક્ષ નીચેના ઓટા પર બેઠા. દંતધાવન, સ્નાન આદિ પ્રાતઃ કાર્યથી નિવૃત થઈ નાગિની પિતાની સખી સાથે શિરામણ કરવા બેઠી. શિરામણ કરતાં કરતાં નાગિનીએ બેઠક ખંડની શોભા કેવી રીતે કરવી અને શયનગૃહમાં સાદાઈના બદલે વિલાસ માં વિભોર કરી મૂકે એવી ગોઠવણ કરવાની સૂચના કરી. આ ચર્ચામાં ભાગ લેવા મુનીમજી પણ આવી ગયા. તેમણે આ બધું સાંભળીને હાલ તુરત સાવ સાદાઈથી બધી વ્યવસ્થા કરવી જોઈએ. તે મત દર્શાવતાં કહ્યું : “દેવી, દેદા શાહ કૃપણ નથી પણ સાવ સાદા છે અને ઓછામાં ઓછો પરિગ્રહ રાખે છે. આવા પુરુષને ભપકા વડે આંજવાનું કરવા જતાં કદાચ તે છટકી જાય અથવા ફરી વાર ન પણ આવે. એથી આપ ઉતાવળ કર્યા વગર કૌર્ય રાખે. મને લાગે છે કે એકાદ મહિના સુધી તે આપણે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy