SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ નાગિનીની ચિંતા... ૨૦૩ દાતણ કરી તેઓ ગરમ પાણીનું દેગડું લઈને નાનગૃહમાં ગયા. ત્યાં એક કળામાં ચીકણી માટી રાખી હતી અને બીજા ચોળામાં માલિસ માટેનું સરસવનું તેલ રાખ્યું હતું. શેઠે થેડી જ વારમાં માલીસ પતાવી તે પર ચીકણું માટી ચોળી અને પછી નહાવાનું શરૂ કર્યું. સ્નાનથી નિવૃત્ત થઈ જંગલુછણ વડે શરીર લૂછી એક પંચિયું પહેરીને દેદા શાહ બીજા ખંડમાં ગયા. વિમલી સામયિક પાળી રહ્યા હતા. ધોતી પહેરીને તેઓ બહાર આવ્યા એટલે વિમલશ્રીએ કટાસણું સંકેલતાં પ્રશ્ન કર્યો : “માર્ગમાં વરસાદે આપને હેરાન કર્યા હેરાન તે શું પણ વર્ષાના કારણે જ પાંચ સાત દિવસ મેડુ થઈ ગયું. તારી તબિયત કેમ છે?' ઘણી સારી. અઠવાડિયા પહેલાં જ મૈદ બાપાને ત્યાં ગઈ હતી. તેઓએ ભારે પ્રસન્ન હૃદયે કહ્યું, “ગર્ભ ઉત્તમ છે અને કઈ પ્રકારને વાંધો નહિ આવે. તેઓએ હવે ધરાખનું પાણી ન લેતાં રોજ સવારે એક ગોળી દૂધ સાથે ગળવાની આપી છે અને ઉપવાસ આયંબિલ કરવાની ચોકખી ના પાડી છે. કેઈ વાર એકાસણું કરવાની છૂટ આપી છે. હવે આપ બે ઘડી હીંચકે બેસે ત્યાં હું ગરમ રસોઈ બનાવી નાખું.” આમ કહી વિમલશ્રી વસ્ત્રો બદલાવવા પિતાના ઓરડે ગઈ. દેદા શાહ ઓસરીમાં ઝુલતી લાકડાની ખાટપર બેઠા. તરત આજ શ્રી જિનપૂજન કે દર્શન થયું નથી તે યાદ આવતાં જ તેઓ ઊભા થયા અને રડા તરફ જોઈને બોલ્યા : “ ઉતાવળ ન કરીશ. હું જરા બાજુના શ્રીજિન મંદિરે જઈ આવું.' સારું. દાળ શાક તો છે, ભાત ને બારી હમણાં જ તૈયાર થઈ જશે. આપ મંદિરે જઈ આવો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy