SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાની ભાવના ૧૪૩ થાય તો કંઈ ખોટું નથી. હું સમજું છું કે વસવાયો વર્ગ કદી સંતોષ નથી પામતે પણ આપણે તેને ધરવી દેવા છે. વળી રાજના કર્મચારીઓ, સંઘના આગેવાને, રાજા, ચોકિયાતો કેટવાળ, અન્ય ધર્મના આગેવાનો અને અહીં કેઈ અખાડા કે અન્ય ધર્મીઓ, સંતમહંત વગેરેને ત્યાં આપણે પોરસણા પણ મોકલવાનાં છે. લલ્લ શાહે દેદા શાહના ખભા પર હાથ મૂકીને કહ્યું: “શેઠીયા, હવે તું જેજે કાલને જમણવાર. તારું મન હું સમજી ગયો છું. પણ એક પ્રશ્ન નડે છે...” * બેલો...” * મગનો શીરો કાંઈ શેક્યા વગર રાતવાસી રાખી મૂકે તે દેષ ઊભો થાય.” બરાબર છે... પણ આપણે વસવાયા કે એવા વર્ગને જે શીરે આપવાનું છે તે શેકાવીને જ આપો. દેદા શાહે કહ્યું. નગરશેઠ તે દેદા શાહનું ઉદાર દિલ જોઈને ભારે પ્રભાવિત બની ગયા હતા. તેઓએ તરત પાંચ રૂપિયાની એક થેલી લલુ શાહને આપતાં કહ્યું : “આ પાંચસે છે. સહુને રોકડા ચૂકવવાના છે. વળી કાલે સંઘ જમણ પછી શેઠજી તરફથી એક એક રૂપિયાની પ્રભાવના થવાની છે. તમારે પૈસાની જરૂર પડે ત્યારે ચિઠ્ઠી લખીને કોઈ માણસ દ્વારા મગાવી લેજે.” લલ્લ શાહે ફરી વાર દેદ શાહને વાંસે થાબડીને કહ્યું : “તમારા જેવા મરદ ને મેટા દિલના માણસો જે દરેક ગામમાં હોય તે જૈન ધર્મને જય જયકાર બોલાઈ જાય.' ત્યાર પછી લલ્લ શાહ વિદાય થયા. દેદા શાહ એક વાતરને લઈને ઉપાશ્રયે મુનિવરને વંદવા ગયા. અને વાળ વખતે નગરશેઠના ઘેર આવી ગયા. રાતનો પ્રથમ પ્રહર પૂરો થાય તે પહેલાં જ શિલ્પશાસ્ત્રી આવી ગયા. નગરશેઠે આવકાર આપીને પિતાની બેઠકમાં બેસાડયા...ગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy