SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ મહાત્માનું મિલન ! ગયાં. તેણે કંઈક ભીના સ્વરે કહ્યું : “કૃપાળુ, દેશમાં રહીને શું આવતા જનમ અંગેનો કોઈ પુરુષાર્થ...?” વચ્ચે જ મહાત્માએ કહ્યું : “બધું થઈ શકે છે. પણ સાધુ તો જ્યાં જાય ત્યાં તેને દેશ જ છે. મારા પ્રત્યેનો તારે ભક્તિભાવ તને મહાવિષ્ટ કરી મૂકે તે હું સમજું છું. પણ મારે વિચાર હવે જુદો જ છે. જ્ઞાન, વિજ્ઞાન, કલા, સાહિત્ય, કાવ્ય વગેરે કઈ ચિરકાલિન છે જ નહિ. વળી હિમગિરિની યાત્રા કરીને હું સીધો ત્રિવિટપ જવાને છું. ત્યાં એક શૈલગુહા આવેલી છે. આ ગુહામાં જ્ઞાનારાધનની અપૂર્વ સગવડતા છે. તું તે જૈન છે એટલે તેને ખ્યાલ હશે કે જૈન દર્શનના એક મહાજ્ઞાની આચાર્ય ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામી થઈ ગયા હતા ! હા. જેઓ સમર્થ હતા અને નેપાલથી આગળ ક્યાંક રહેતા હતા. અમારા એક મહા પુરુષ ભગવાન સ્થૂળભદ્રજી ત્યાં પૂર્વનું જ્ઞાન લેવા ગયા હતા.' બસ એજ મહાપુરુષે એક શૈલ ગુહામાં જ્ઞાનારાધનને એક મહામંડપ રચ્યો છે. એમની પરંપરાના હવે માત્ર ચાર જ તિવયે ત્યાં બિરાજે છે અને તત્ત્વજ્ઞાનનાં અમૃતનું પાન કરીને વિરક્ત દશામાં રહે છે. મારી ભાવના તેઓ પાસે જઈને રહેવાની છે અને જન દર્શનનાં મહાન તત્વ જ્ઞાનને હૈયામાં પચાવવું છે. દેદા, મને સમજાયું છે કે સંસારનું કેઈપણ જ્ઞાન કે વિજ્ઞાન, કોઈપણ ચમત્કાર કે સજન જન તરવજ્ઞાનની હરોળમાં મૂકી શકાય તેમ નથી. તો પછી આયુષ્યને અંતિમ છેડે શા માટે ત્યાં ન લેંપવો !” દેદા શાહ શું બોલે ? બે ઘડી મૌન છવાયું. ત્યાર પછી દેદા શાહે કહ્યું : “ ગુરુદેવ મારી એક ભાવના છે.” નાદુરી પ્રદેશમાં આપ જ્યાં રહેતા હતા ત્યાં એક ધર્મશાળા, મંદિર અને ભજનગૃહ બનાવું...” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy