SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવડ શાહ પરિસ્થિતિ જોઈને ગમે તેટલા લાગણીશીલ બની જતા હેય... પરંતુ જે માણસે દુઃખને પિતાના જ કોઈ કર્મનું ફળ માને છે તે માણસો કોઈ પણ સંજોગોમાં દુઃખી હતા નથી. કઈને સ્ત્રીની પ્રાપ્તિ થવામાં દુઃખ દેખાતું હોય છે તે કોઈને સ્ત્રીની પ્રાપ્તિ ન થવામાં દુઃખ દેખાતું હોય છે. આમ દુ:ખની એક પણ સ્થિર કપના નથી. છતાં દુઃખ નામનું એક તત્વ વિશ્વમાં વ્યાપક રૂપે ઘુમતું હોય છે.લોકો દુઃખથી ભારે વેદના ભેગવતા હોય છે, દુઃખને દૂર કરવાના અનેક ઉપાય અજમાવવા હોય છે અને દુ:ખના કારણે દિવસ રાત રૂદન પણ કરતા હોય છે. પરંતુ તત્વોએ દુઃખને આવકાર્ય છે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે દુઃખ એ કેવળ અશુભ કર્મનું ફળ છે. પરંતુ જે અજ્ઞાનીજને મનના ભ્રમને વશ થઈ દુઃખના દાવાનળની કલ્પના કરતા હોય છે તેજ ભારે દુઃખી થતા હોય છે. તત્વજ્ઞોતે સમજે છે કે દુઃખ એ શાશ્વત સુખને પ્રાપ્ત કરવાનું એક શ્રેષ્ઠ કારણ છે. દુઃખ આવે તો જ પિતાના અશુભ કર્મોથી મુક્તિ મેળવવાનો પુરુષાર્થ કરી શકાય અથવા જ્ઞાનરૂપી પ્રકાશના મેદાનમાં પહોંચી શકાય. લેકે જેને દુઃખ માને છે તે દુઃખ નથી પણ મનને ભ્રમ છે. એકને જે વસ્તુ દ:ખરૂપ હોય છે તેજ બીજાને સુખરૂપ પણ હોય છે. ભાવડ ઘણે દુઃખી છે...હાથે કરીને મુર્નાઈના લીધે દુઃખ ભોગવી રહ્યો છે. એમ લેકે માનતા હતા... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy