SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ બહેન આવી..! ૨૫૧ અપૂજ રાખ્યાં છે આપ સહુ ધર્મમાં દઢ રહેજે.. આપના હૈયામાં ધર્મભાવનો દીવડે જલતો રહેશે તે અવશ્ય એ મહાન તીર્થનો ઉદ્ધાર થયા વગર નહિ રહે.” એક શ્રાવકે પ્રશ્ન કર્યો : “ભગવંત, શું એ અસુરને કોઈપણ ઉપાયે પરાજિત કરી શકાય એમ નથી?” કપાદિ અસુર ઘણે જ શક્તિશાળી છે. આપ તો જાણે જ છે કે સિદ્ધગિરિજીની યાત્રા કરવા કેઈ જઈ શકતું નથી.” થોડા વરસ પહેલાં વીર વિકમે ભવ્ય સંઘ કાઢો હતો ત્યારપછી જે કઈ જાય તો કપાર્દિ અસુર તેનો નાશ કરી નાખે છે. પરંતુ આસુરી શક્તિનો કે એક દિવસે અંત આવે જ છે... એક પિઢી પર્યત રાહ જોવી પડશે... કોટી કંચનની હોય છે... આજે આપણું ધર્મ ને કસેટી કાળ છે. જ્યારે કોટી કાળ ચાલતો હોય ત્યારે શૈર્ય, હિંમત અને બળને સાચવી રાખવાં જોઈએ.” તેજ દિવસે પારણું કરીને ભાવડ શેઠ, ભાગ્યવતી અને રાઘવ વિદાય થયાં. મુનિશ્રી યતિદાદા પણ પિતાના શિષ્ય સાથે વિહાર કરી ગયા. ભાવડશેઠ વલ્લભીપુરથી મોડા નીકળ્યા હતા એટલે માર્ગમાં જ તેઓએ ભેજન પતાવી લીધું અને પિતાના ઘેર પહોંચ્યા ત્યારે રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયે. રાઘવના બળદને આરામ મળે એટલે કાતિંકવદિ. એકમની સાંજ સુધી તેને રોકી રાખ્યો અને જ્યારે ગાડુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy