SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ભાવડ શાહ | મુખશુદ્ધિ રૂપે ભાવ ડી સોપારી લીધી હતી અને મિત્રને પણ આપી. વાતો કરતાં કરતાં સૂર્યાસ્તને સમય થવા આવ્યો ભાગ્યવતી કામ પતાવીને પાણીને એક લેટે ભાવડ પાસે મૂકી ગઈ. પિતે પણ એક જળ પાત્ર લઈને ઓસરીમાં જ એસી ગઈ. બંનેએ શાંતિથી જળપાન કરી લીધું. ત્યારપછી બંનેએ મુખ આડે મુઠી વાળેલે હાથ રાખીને ચઉવિઆરનું પચ્ચકખાણ લઈ લીધું. નારાયણને આ બધું જોઈને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક હતું. તે બે : “મિત્ર, મારાથી આ કઈ સમજાયું નહિ, મનમાં તમે બંને શું બોલતાં હતાં?” “નારાયણ સૂર્યાસ્તથી સૂર્યોદયની બે ઘટિકાપર્યત પેય, ખાદ્ય, ચેષ્ય અને લેહ્ય વગેરે કઈ પણ પદાર્થોને ત્યાગ કરવાની પ્રતિજ્ઞાને મંત્ર અમે બોલ્યા હતા. આને અમે ચઉવિઆર પચ્ચકખાણને નિયમ કહીએ છીએ. હવે અમે કોઈ પણ સંજોગોમાં અન્નજળ વગેરે કઈ પણ વસ્તુ રાત્રિકાળ પુરો થતાં સુધી..... અને બેઘટિકા માથે ગયા સુધી નહિ લઈ શકીએ.” “ આતે ઘણું જ ઉત્તમવત ! આરેગ્યશાસ્ત્ર પણ રાત્રિભોજનને નિષેધ કરે છે... તમે તે એથી આગળ વધ્યા...જળને પણ ત્યાગ..રાત્રે તૃષા લાગે તે શું કરો ?” ભાગ્યવતીએ કહ્યું: “લાગે જ નહિ.” પણ કદાચ લાગે છે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy