________________
આશાએ હરિયાળા વન તરફ ચાલ્યા ગયા. મહાવીર તો અંતરની દુનિયામાં એવું આઘે ચાલ્યા ગયા હતા, કે બહાર શું બને છે, તેની જાણ જ કોને હતી !
બહારની જાણ રાખવાની જરૂર પણ શી હતી ? જેણે કાયા પણ વિસારી દીધી હોય, તેને વળી બીજી માયા કેવી !
રાત આગળ વધી. મધરાત થતાં થતાં ગોવાળ ગામમાંથી પાછો આવ્યો. આવતાંની સાથે એણે બળદ શોધ્યા. બળદ ત્યાં નહોતા. એણે મહાવીરને પ્રશ્ન કર્યો :
દેવાર્ય ! મારા બળદ ક્યાં ગયા તે આપ જાણો છો ?”
ધ્યાનમસ્ત મહાવીરની સ્થિતિ જવાબ આપવા જેવી ક્યાં હતી ! એમણે કંઈ જવાબ ન વાળ્યો.
ગોવાળને લાગ્યું કે આ માણસ સાથે રકઝક નકામી છે. એમાં સમય વીતી જાય, ને બળદ ક્યાંના ક્યાં ચાલ્યા જાય. એણે બળદની શોધમાં જવું ઉત્તમ માન્યું.
એ બળદની શોધમાં ચાલી નીકળ્યો. આખી રાત આ શેઢેથી પેલે શેઢે, આ સીમથી પેલી સીમ એ ઘૂમ્યો; પગે કાંટા વાગ્યા; એક વાર સાપની ભોણ પર પગ પડ્યો, પડતો આખડતો બે-ચાર વાર માંડ બચ્યો; હેરાન-હેરાન થઈ ગયો; પણ બળદનો પત્તો ન લાગ્યો તે ન લાગ્યો.
- આકાશમાં પ્રભાતી તારા ઝબૂકવા લાગ્યા. નિષ્ફળ ગોવાળ ગામ તરફ પાછો ફર્યો ! જતાં જતાં મહાવીર ઊભા હતા, ત્યાં આવ્યો ! આશ્ચર્ય સાથે જોયું; તો બંને બળદો મહાવીર પાસે બેઠેલા. વાંકડી શિંગડીઓ ડોલાવતા, બેઠાં બેઠાં વાગોળે !
થાક્યાપાક્યા ગોવાળના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે તમામ ખીજ મહાવીર પર કાઢવા હાથમાં રહેલી રાશ ઉગામી, રાતના ઉજાગરાથી રાતી થયેલી આંખો વધુ લાલ કરીને કહ્યું :
અલ્યા પાખંડી ! બળદ સંતાડવાની તારી આ તરકીબ હતી ! તેં જ મારા બળદ સંતાડ્યા હતા ! હું થાકી – નિરાશ થઈને ઘેર જાત, એટલે તું બળદ લઈને રસ્તે પડી જાત ! જાણી તારી ખોરા ટોપરા જેવી દાનત !'
ઉ૪
ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org