________________
જાણે દરિદ્રનારાયણ મળ્યા. સૂરજમુખી તરફ સૂરજ જુએ, એવું આ પાવન દૃશ્ય હતું !
ખરે વખતે બ્રાહ્મણ કંઈ યાચી ન શક્યો, પણ મહાવીર અંતર્યામી હતા. એમણે હાથ ઊંચો કર્યો. ખભા પર રહેલું દેવવસ્ત્ર લીધું, એના બે ભાગ કર્યા, એક બ્રાહ્મણને આપ્યો; બીજો પોતાને ખભે નાખ્યો, ને ચાલી નીકળ્યા !
ધન્ય સોમ ! ધન્ય સોમ ! મેદની બોલી ઊઠી, પણ સોમ તો ચૂપચાપ વસ્ત્ર લઈને ઘરભેગો થઈ ગયો. વસ્ત્ર બારીક હતું, મુલાયમ હતું, કીમતી હતું.
બીજે દિવસે સોમદેવ વસ્ત્ર લઈને તૂણનાર પાસે પહોંચ્યો. તૃણનાર વૈશાલીનો કુશળ વસ્ત્ર-પરીક્ષક હતો. એણે વસ્ત્ર જોતાંની સાથે કહ્યું :
ભૂદેવ ! માલ તો ખરેખરો મારી લાવ્યા છો ! આ વસ્ત્ર તો દેવતાઈ છે. એની જોડ ક્યાંય મળવી મુશ્કેલ ! ક્યાંથી લાવ્યા ?'
સોમશર્માએ બધી વાત વિગતથી કહી. તૃણનાર બોલ્યો : ‘હવે જો તમારે ને મારે ન્યાલ થવું હોય તો તમારે તમારો કસબ અજમાવવો, મારે મારો કસબ અજમાવવો. તો પછી ઓછી કે અદકી નહિ, પણ પૂરી એક લાખ સોનામહોર મળે ! અર્ધ અર્ધ સ્વાહા !” તૂણનાર સોમદેવને જાણે દરિદ્રતાનાશક મંત્ર આપતો હોય તેમ બોલ્યો.
“તારો કસબ તો સમજ્યો, પણ મારો કસબ કેવો ?” સોમશર્માએ પ્રશ્ન કર્યો. એ તૂણનારનું કહેવું પૂરું સમજ્યો નહોતો.
“તમારો કસબ ભિક્ષાનો. જલદી ઊપડો, ને આ વસ્ત્રનું બીજું અડધિયું લઈ આવો. પછી અજમાવું મારો કસબ. ને પછી... ઓં... ભટાણી ખાય ખાજાં ને પહેરે હીર-ચીર ! બ્રહ્મદેવ, બાંધો કેડ !” તૂણનારે અભિનય બજાવતાં કહ્યું.
ભીખનું નામ આવતાં ઉત્સાહી થઈ જતા સોમશર્માનું મોં, આ સાંભળી પડી ગયું. એણે કહ્યું : “અરે ! હવે એમની પાસે બાકી શું રહ્યું છે. હું દરિદ્ર છું, તો એ તો હવે દરિદ્રનાય દરિદ્ર છે. ફક્ત અડધું વસ્ત્ર દેહ પર લટકે છે, એ માગવા જતાં મારો-માગણનો પણ જીવ ચાલતો નથી.”
“અરે ભટજી ! તમે કાં સમજો નહિ ? જેણે હાથી આપ્યો, એને અંકુશ આપતાં સંકોચ ન થાય. જેણે આટલું બધું આપી દીધું અને હવે આટલું આપતાં
૬૦ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org