________________
વરસ્યા. કુમાર વર્ધમાને સર્વસ્વનું દાન કર્યું. પૂરું એક વરસ સોનું-રૂપે વહેંચ્યું.'
“તો હજી વહેંચતા જ હશે ને ! આ પહોંચ્યો સમજ !” બ્રાહ્મણે નીચે મૂકેલો ખડિયો ઉઠાવી ખભે મૂકવા માંડ્યો.
શું તમારું-માથે પહોંચશો !રે ફૂટી ગાગર ! દાનશાળા હમણાં જ છેલ્લી વાર બંધ થઈ, ને વર્ધમાન જ્ઞાતખંડમાં દીક્ષા લેવા પણ પહોંચ્યા !' ભટાણીએ
કહ્યું.
ચિંતા ન કર, હમણાં જ પહોંચું છું. માગવાની હજાર તરકીબ મને આવડે છે ! વર્ધમાનકુમારના પિતાનો હું મિત્ર છું. વડીલ તરીકેના દાવે પણ બમણું માગી લાવીશ.'
સોમશર્માએ દોટ મૂકી. ઉદ્યાનમાં જઈ પહોંચ્યો. અહીં તો દીક્ષાની અંતિમ વિધિ ચાલી રહી હતી. ઘડીભર તો નીરખવામાં મગ્ન થઈ ગયો. વર્ધમાનની ત્યાગમૂર્તિ જોઈ પોતાની ભિક્ષા કે દરિદ્રતા વીસરી ગયો. સુંદર નૃત્ય જોઈ માણસ પોતે પણ અજાણતાં એની સાથે તાલ દેવા લાગે, એમ એને થયું.
દેવરાજ ઇંદ્ર વર્ધમાનના ખભા પર વસ્ત્ર નાખ્યું ને એ ચાલી નીકળ્યા. વર્ધમાનની પીઠ દેખાઈ કે સોમશર્મા જાગ્રત થયો. એની નજર સામેની ઉજ્વલ દુનિયા નષ્ટ થઈ ગઈ. એ માગણ થઈ રહ્યો. રે બ્રાહ્મણ ! તું વિચારમાં રહી ગયો ને આ મહાવીર તો ચાલતા થયા !
સોમશર્માએ ભીડને ચીરતી દોટ દીધી. ત્યાં ઊભેલાં કંઈ જુએ, સમજે ત્યાં તો બ્રાહ્મણ મહાવીર પાસે પહોંચી ગયો; એમના પગમાં પડતો બોલી રહ્યો :
‘રે વર્ધમાન ! તમારા પિતાનો પુરાણો આશ્રિત મિત્ર છું. તમારા પિતાના અવસાન સાથે, શું મારો સંબંધ પણ અવસાન પામ્યો ?'
આવે વખતે, સોમશર્માની આ યાચક રીત લોકોને ન ગમી ! જેણે પોતાનું કહેવાય એવું કંઈ રાખ્યું નથી, એની પાસે હવે શું માગવાનું ? અને માગવાનું હતું તો સવાર સુધી માગવું હતું ને ! માગ્યા મેહ વરસતા હતા ત્યારે તો !
“અલ્યા અભાગી ! આજ સુધી ક્યાં ઊંઘતો હતો ? આજ છેવટને ટાણે આ ફજેતા શા ?” લોકોએ ચીડમાં કહ્યું. બે પળમાં તો બ્રાહ્મણ બાવડે ઝલાઈ જાત ને બહાર ફેંકાઈ જાત, પણ એ જ પળે ભગવાન મહાવીરે પોતાનું મોં
૫૮ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org