________________
૧૩ દરિદ્ર ને દરિદ્રનારાયણ
લતાકુંજોમાં દ્રાક્ષ પાકી ગલ થઈ જાય, તે વખતે જ કાગડાની ચાંચ પાકે. અભાગિયા જીવોની ભાગ્યરેખા જ આવી હોય છે.
વૈશાલીના શાખાનગર બ્રાહ્મણ કુંડગ્રામનો બ્રાહ્મણ સોમશર્મા આવો અભાગી જીવ હતો. બિચારો માત્ર ચપટી લોટ માટે મગધ, વિદેહ ને અંગ-બંગની ખાખ છાણતો ફર્યો, ને અહીં કુમાર વર્ધમાને સોના-રૂપાની રેલ વહેવરાવી દીધી !
આવતી કાલે તો જેવું જેનું નસીબ, પણ આજ કોઈ ઊણું-અધૂરું ન રહ્યું ! સોમશર્મા દેશવિદેશની ધૂળ છાણતો ઘેર આવ્યો. એને આશા હતી, કે ઘણે દિવસે ઘેર જાઉં છું, તો ભટાણી આગતા-સ્વાગતા કરશે, બે વહાલનાં વચન કહેશે.
પણ ભાગ્ય કોનું નામ ! ભટાણી શર્માજીને જોતાં જ ક્રોધમાં ધમધમી ઊઠી. એના હાથમાં પેંસ હલાવવાનો ચાટવો હતો. ચાટવો ઉગામી એણે કહ્યું :
રે બ્રાહ્મણ ! વરસાદ તો મુશળધાર વરસ્યો, ને તું જવાસા જેવો કોરીધાકોર – સૂકો કેમ રહ્યો ?'
‘રે સ્ત્રી ! હું અહીંથી પ્રસ્થાન કરું એ પહેલાં મારું ભાગ્ય આગળ જઈને ઊભું હતું ! શું કરું? ખડિયો મારો ખાલી રહ્યો, મને ચપટી કોઈએ ન આલી ! એવું મને થયું, પણ આ તારી વાત મને સમજાતી નથી.”
ભટાણી ગર્જના કરી ઊઠી : “અરે ભલા માણસ! ઘરઆંગણે મોતીના મેહ
દરિદ્રને દરિદ્રહ્નારાયણ ૪ પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org