________________
શબ્દો પણ ન બોલાયા. શું બોલે ? શબ્દો જ ખોવાઈ ગયા હતા ને !
પ્રિય યશોદા પાસે વર્ધમાન આવ્યા. પુત્રી પ્રિયદર્શના પણ ત્યાં જ ઊભી હતી. એનો પતિ રાજ કુમાર જમાલિ પણ ત્યાં ઊભો હતો.
યશોદા, પ્રિયદર્શના, રાજકુંવર જમાલિ,
શરદઋતુની ચંચળ વાદળી જેવું આ જીવન છે ! અસ્થિરને સ્થિર રાખવા આપણે ઝાવાં મારીએ છીએ, ને પરિણામે હૈયાશોક વહોરીએ છીએ. જીવનની દરેક અવસ્થા સાધકને ઉપયોગી છે ! પ્રમાદમાં ન રહેશો. વર્તમાનકાળ સર્વથી વધુ ઉપયોગી છે.'
કુંવર જમાલિ આ વખતે રહી ન શક્યો. વર્ધમાન ઉપર એનો ચાહ અજબ હતો. એણે કહ્યું : “હું તમને નહિ છોડું ! જ્યાં તમે ત્યાં હું !”
વાર છે, ધીરજ ન ખાશો. એ પળ પણ આવશે.”
આમ વર્ધમાન આગળ વધ્યા ! યશોદાએ નમન કરી કહ્યું : “ક્ષત્રિયાણીઓ કુંકુમ-કેસરે તેમને વિદાય આપે છે. આપ જોદ્ધા છો. જગત જીતવા પધારા છો, આપનો માર્ગ સરળ હો. વિજય આપનો હો ! ગરુડરાજ છો. ગગનવિહારી છો, આ ક્ષુદ્ર માળામાં જેટલું વસ્યા, એટલુંય અમારું અહોભાગ્ય ! પધારો સ્વામી. આપની સ્મૃતિય અમને પ્રેરણા પાશે.”
વર્ધમાન આગળ વધ્યા. ન ક્યાંય કલ્પાંત છે. ન ક્યાંય કાગારોળ છે. જળભરી વાદળીઓના જેવા ભર્યા હૈયે સહુ ખડાં છે !
માગસર મહિનાની વદ દશમનો એ સુંદર દિવસ છે !
વિજય મુહૂર્તે સ્નાન કરી, શ્વેત વસ્ત્રપરિધાન કરી, મધ્યાહ્ન સમયે પ્રસ્થાન કર્યું. રાજભવનનો પહેલી ને છેલ્લી વાર ત્યાગ કર્યો. મનથી તો ઘણા વખત પહેલાં ત્યાગ થયો હતો, એટલે તનથી ત્યાગ કરતાં કંઈ દુઃખ ન થયું.
ચોકમાં સેના હિલોળા લેતી હતી. સિંહદ્વાર પર રાજકર્મચારીઓ ને રાજકુટુંબીઓ હારમાં ઊભા છે.
બહાર ચંદ્રપ્રભા પાલખી તૈયાર છે. વર્ધમાન એમાં આવીને બેસી ગયા. સ્ત્રીઓ એમને વીંટળાઈ વળી. કોઈએ છત્ર લીધું. કોઈએ ચામર લીધાં. કુળમહત્તરા સફેદ વસ્ત્ર લઈને સમીપ બેઠી.
૫૪ ૪૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org