________________
ફક્ત મોટા ભાઈને આપેલી અવધ પૂરી થવાની એ સ્વસ્થ ચિત્તે રાહ જોતા હતા.
વર્ધમાને વિચાર્યું કે સંન્યાસીને સર્વસ્વનો ત્યાગ અનિવાર્ય છે. સંસારમાં મારું કહેવાય તેવું કંઈ ન રહેવું જોઈએ. જેને પોતાનો દેહ પણ પોતાનો નથી, એને ધન, માલ, મિલકત કેવી રીતે પોતાની હોઈ શકે ?
સ્વ-માત્રનો ત્યાગ કરે એ સંન્યાસી !'
માથું મુંડાવી લીધું કે જટા વધારી લીધે સંન્યાસી ન થવાય. વર્ધમાને રોજ પ્રાતઃકાળમાં એક પ્રહર સુધી દાન આપવા માંડ્યું. એક કરોડ સાઠ લાખ તો માત્ર સૌનેયા વહેંચવા માંડ્યા !
આમ સોનું ને રૂપું આપી દીધું ! આમ ધન-ધાન્ય વહેંચી દીધું. આમ દાસદાસીના પરિવારને મુક્ત કર્યો. રાજ્યથી ને રાષ્ટ્રથી તો પહેલેથી અળગા હતા.
પોતાનું સર્વસ્વ છાંડીને વર્ધમાન હળવા ફૂલ બની ગયા. હળવા ફૂલ બનવાની સાથે તેમની પ્રફુલ્લતા પણ વધી ગઈ !
ન જાણે બે વર્ષ બે દિવસની જેમ પસાર થઈ ગયાં, ને ગૃહત્યાગની મંગલ ઘડી આવી ઊભી !
ન ક્યાંય રુદન છે, ન ક્યાંય હાયકારા છે ! પ્રસંગની ગંભીરતાને છાજે એવા સૌ ગંભીર છે !
વરસાદની ભરેલી વાદળી, જેમ જળ છાંટતી આકાશમાં આ પારથી પેલે પાર સરી જાય, તેમ વર્ધમાન એક પછી એક, સહુની વિદાય લેતા આગળ વધવા લાગ્યા !
મોટા ભાઈને નમ્યા, બોલ્યા : “ભાઈ ! એક દિવસ સહુને જવાનું છે, આપણાં પૂજ્ય માત-પિતા ગયાં તેમ, હું જરા વહેલો જાઉં છું. જે આખરે છોડવાનું છે તેને વહેલું છોડું છું. તેનું લેશમાત્ર દુઃખ ન ધરશો !'
મોટા ભાઈ મોહી પુરુષ હતા, નાનો ભાઈ જાણે એમને મોટો ભાઈ લાગ્યો. મોટાઈ ઉમરની ખોટી લાગી. જ્ઞાનની, બુદ્ધિની, ડહાપણની મોટાઈ એ સાચી મોટાઈ લાગી !
નંદીવર્ધન મસ્તક નમાવી રહ્યા; એમનાથી કંઈ બોલી ન શકાયું. વિવેકના
સર્વસ્વનો ત્યાગ ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org