________________
તો બે વર્ષ વધુ સંસારમાં રહી જાઓ !'
“જેવી આજ્ઞા ! મને સંસારનો ડર નથી, મન જ મુક્તિ કે બંધનનું કારણ છે. મારું મન તો આ માળો ક્યારનો મૂકી ચૂક્યું છે !'
ભરત જેવા ભાઈ નંદીવર્ધનની ઇચ્છાને માન આપી કુમાર વર્ધમાન બે વર્ષ વધુ સંસારમાં રહ્યા.
રાજમહેલમાં તપસ્વી આશ્રમનું વાતાવરણ પ્રસાર્યું. ભોગમાં ત્યાગનો મહિમા વિસ્તાર્યો.
ભરત જેવા ભાઈ , પ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org