________________
:
‘કર્મ માત્રનો નાશ ! આત્મિકને આનંદનું સામ્રાજ્ય ! જન્મ ને મરણબંનેનો નાશ !'
‘તમને દુશ્મનો નહિ હોય ?'
‘મારા રાજ્યમાં માણસ માણસનો દુશ્મન નહિ હોય, જીવ જીવનો દુશ્મન નહિ હોય. દુશ્મન માત્ર છ હશે ! ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ.’ ‘એ પ્રેમરાજ્યમાં પાપસ્થાનક હશે કે નહિ ?’
મારા રાજ્યમાં પાપનાં સ્થાન માત્ર ૧૮ હશે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, સંગ્રહ વગેરે.’
‘તમારી ભાવના કેટલી ?’
‘ચાર : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને મધ્યસ્થતા.’
‘તમારા શાસન નગરના નાગરિકોનો ધર્મ ?
‘જ્ઞાન મેળવવું. એ વિશે દર્શન (શ્રદ્ધા) મેળવવું. સંયમ સેવવો. તપ આચરવું. પરાક્રમ ફોરવવું. ઉપયોગ રાખવો - દરેક વાતમાં જાગૃતિ રાખવી.’ ‘તમારા શાસનનાં મૂળભૂત સૂત્રો ક્યાં ?’
‘જ્ઞાન, દર્શન ને ચારિત્ર. આ સૂત્રત્રયી. જ્ઞાન વડે સાધક બધું જાણે. દર્શન વડે એની સત્યતાની ખાતરી કરે. ચારિત્ર-મન, વચન, કાયને નિયમનમાં રાખે.’
‘ભાઈ ! તારા આકાશી રાજ્યને હું વંદું છું. હું પણ એનો નાગરિક થવા ઇચ્છું છું, પણ મારી એક માગણી છે !'
‘શી ?’
‘આવું અવનવું શાસન-નગર વસાવો, ત્યારે નાગરિક થવા વગર બોલાવ્યો ચાલ્યો આવીશ, પણ આજ તો, પ્રેમમૂર્તિ થઈને ઘા ઉપર મીઠું ન ભભરાવશો.’
‘તમારો કહેવાનો અર્થ ન સમજ્યો.'
‘અર્થ એટલો જ કે માતા-પિતાના વિયોગનો ઘા હજી તાજો જ છે, એમાં તમે બંધુવિયોગ કરાવી, ઘામાં મીઠું ભભરાવશો મા !'
‘મોટા ભાઈ, તમારી ઇચ્છા એ મારે મન ધર્મઆજ્ઞા છે !'
૫૦
Jain Education International
For Private & Personal Use Only
ભગવાન મહાવીર
www.jainelibrary.org