________________
જન્મ-મહોત્સવ
રૂડી ઋતુ ગ્રીષ્મ હતી. ચૈત્રનો મહિનો હતો. શુક્લ પક્ષ હતો. ત્રયોદશીનો દિવસ હતો.
મધરાતનો પહોર હતો. આમ્રતરુ પર આમ્રફળ લચી પડ્યાં હતાં. કોકિલોએ રાત-દિવસ ભૂલી ટહુકા કરવા માંડ્યા હતા.
વૈશાલીના રાજબાગમાં બપૈયા ટહુકાર કરતા હતા. એ સમયે ત્રિશલાદેવીએ પુત્રને જન્મ આપ્યો, – જાણે રત્નાકરે નકલંક મોતી આપ્યું.
શુક્લ ત્રયોદશીનો ચંદ્ર આભમાં ઉજાસ ઢોળતો હતો, પણ જાણે ચંદ્રની ચાંદની અને ચંદનના વિલેપનથીય વધુ શીતળતા પૃથ્વી પર વ્યાપી રહી. વનસ્પતિઓમાં જાણે પીયૂષ વરસ્યાં. અંતરમાં જાણે આપોઆપ અજવાળાં પ્રગટ્યાં! જગતમાં આવા પ્રસંગે સહુથી પહેલો જાગનારો કવિ ! કવિ વધામણી ખાતો કહે છે :
“સખી ! આજ અનોપમ દિવાળી ! પ્રભુ મુખકમળ અમરી ભમરી,
રાસ રમતી લટકાળી;
સખી ! આજ અનોપમ દિવાળી. પ્રભુમાતા ! તું જગતની માતા,
જગદીપકની ધરનારી; સખી ! આજ અનોપમ દિવાળી.”
૨૨ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org